કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર 5-11 જુલાઈની વચ્ચે 58 જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધારે રહ્યો છે અને આર ફેક્ટરમાં વધારો આવતા પીએમ મોદી એક્શનમાં આવ્યા છે. જાણો શું લીધો છે નિર્ણય
PM મોદી એક્શનમાં
આ રાજ્યોમાં કોરોનાના કેસમાં ઉછાળો
તાબડતોબ લીધો મોટો નિર્ણય
PM મોદી મંગળવારે એટલે કે આજે પૂર્વોત્તરના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે અને અહીંની સ્થિતિની સાથે કોરોના વેક્સિનેશનને લઈને પણ વાત કરશે. આ જાણકારી સોમવારે આપવામાં આવી હતી. પીએમ મોદી આજે 11 વાગે વીડિયો કોન્ફરન્સની મદદથી આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમના મુખ્યમંત્રીઓ સાથે આ રાજ્યોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે. પ્રધાનમંત્રી આ સમયે વેક્સિનેશનની સ્થિતિની જાણકારી લેશે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને સાથે જ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
5-11 જુલાઈમાં 58 જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધારે
છેલ્લા અઠવાડિયે 10 ટકાથી વધારે પોઝિટિવિટી રેટ વાળા 5માંથી 3 જિલ્લા પૂર્વોત્તરના છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર 5-11 જુલાઈની વચ્ચે 58 જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધારે રહ્યો છે જેમાંથી 37 પૂર્વોત્તરના જિલ્લા છે.
India's COVID 'R-value' increased in July first week over June, some northeastern states cause of worry: IMSc scientist
આર ફેક્ટરમાં વધારો બની રહ્યો છે ચિંતાનો વિષય
દેશમાં સંક્રમણની ગતિ કઈ રીતે વધી રહી છે તેનો ખ્યાલ આર ફેક્ટર આપી રહ્યું છે. તેની સાથએ દર્દીને સાજા થવાનો દર પણ ધીમો જોવા મળે છે. તો કેરળ અને પૂર્વોત્તરના ક્ષેત્રમાં ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે ગયા અઠવાડિયે ભારતમાં કોરોનાના 80 ટકા કેસ 90 જિલ્લામાં આવ્યા છે જેમાં 14 પૂર્વોત્તર રાજ્યો છે. મંત્રાલયે કહ્યું કે બીજી લહેર ખતમ થઈ નથી અને આપણે આપણી સાવધાનીમાં ખામી લાવવી જોઈએ નહીં. પૂર્વોત્તર રાજ્યો સાથે જોડાયેલી ચેલેન્જ પર ભાર આપતા લવ અગ્રવાલે કહ્યું છે કે ભારત સરકારે કોરોના મહામારીની સામે લડવા માટે એક સક્રિય તકેદારી અને ક્રમિક દૃષ્ટિકોણનું પાલન કરવાની આ રાજ્યોને ચેતવણી આપી છે.