પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચંદ્રયાન-2 ચંદ્ર સપાટી પર ઉતરવાની પ્રક્રિયા જોવા માટે મોડી રાતે 1 વાગ્યે બેંગલોર સ્થિત ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના મુખ્ય મથક પહોંચશે. આ સમય દરમિયાન, 70 વિદ્યાર્થીઓ પણ તેમની સાથે હાજર રહેશે. નોંધનીય છે કે, પીએમ મોદી રાત્રે 9.15 વાગ્યે બેંગલુરુ પહોંચ્યા છે. જ્યાં તેમનું કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ સ્વાગત કર્યું હતું.
Karnataka: Prime Minister Narendra Modi arrives at Bengaluru Airport; received by CM BS Yeddiyurappa. He will reach ISRO centre in Bengaluru tonight ahead of landing of #Chandrayaan2 on the moon. pic.twitter.com/Bc9RngfjPl
ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીએ શુક્રવારે લોકોને ચંદ્રયાન-2 ઉતરવાની પ્રક્રિયાને ચંદ્ર સપાટી પર જોવા અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવા વિનંતી કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, 'હું તમને બધાને વિનંતી કરું છું કે ચંદ્રયાન-2 ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર ઉતરવાની વિશેષ ક્ષણ જુઓ. તમારા ફોટાને સોશિયલ મીડિયા પર શેર કરો. હું તેમાંથી કેટલાકને રી-ટ્વીટ પણ કરીશ.
I urge you all to watch the special moments of Chandrayaan - 2 descending on to the Lunar South Pole! Do share your photos on social media. I will re-tweet some of them too.
આપને જણાવી દઇએ કે, ભારતના અંતરિક્ષ કાર્યક્રમ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. આજે રાત્રે દોઢથી અઢી વાગ્યા વચ્ચે ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. દરેક વ્યક્તિને 'સોફ્ટ લેન્ડિગ'ની રાહ છે.
વિક્રમ લેન્ડરની આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇસરોના મુખ્યમથકે પહોંચવાના છે. આપને જણાવી દઇએ કે, PM મોદીની સાથે 60 થી 70 બાળકો પણ હાજર હશે જે લોકોને સ્પર્ધા થકી લેન્ડિગનું લાઇવ પ્રસારણ જોવાની તક પ્રાપ્ત કરેલ છે.
ISRO ના વડાનું નિવેદન
ચંદ્રયાન-2 નું વિક્રમ લેન્ડર જો સોફ્ટ લેન્ડિગમાં સફળ રહે છે તો રશિયા, અમેરિકા અને ચીન બાદ ભારત આ સફળતા પ્રાપ્ત કરનારું રાષ્ટ્ર બનશે.આ સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશન બની જશે.
ચંદ્રયાન-2ની શુ છે ખાસિયત
ચલો તમને જણાવીએ કે ચંદ્રયાન 2ની કેટલીક ખાસિયત. Chandrayaan 2 અંતરિક્ષ યાન ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પહેલું ભારતીય અભિયાન હશે. આ મિશન ભારતને અમેરિકા, રશિયા અને ચીન બાદ ચંદ્રમા પર સોફ્ટ લેન્ડિંગ કરાવનાર ચોથો દેશ બનશે.
ચંદ્રયાન 2 નું વજન 3877 કિલો છે. 22 જુલાઇએ આ દેશની સૌથી તાકતવર GSLV માર્ક 3 રોકેટથી લૉન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રના દક્ષિણ ધૃવ પર આ લેન્ડરને ઉતારવામાં આવશે. લેન્ડરના ઊતરતા જ દક્ષિણ ધૃવ પર યાન ઉતારનાર ભારત પહેલો દેશ બની જશે.