PM નરેન્દ્ર મોદી ઈમાનદાર ટેક્સ પેયર્સને માટે આજે સવારે 11 વાગે ટ્રાંસપરન્ટ ટેક્સેશન- ઓનરિંગ ધ ઓનેસ્ટ લોન્ચ કરશે. આ માટેની માહિતી PM મોદીએ પોતે ટ્વિટ કરીને આપી છે. તેઓએ કહ્યું કે તેનાથી કર વ્યવસ્થામાં સુધારો કરવા અને તેને સરળ બનાવવાના પ્રયાસોને વેગ મળશે. તેઓએ કહ્યું કે તેનાથી ઈમાનદાર કરદાતાઓને લાભ મળશે. તેમની મહેનતથી દેશની પ્રગતિને તાકાત મળે છે.
ટ્રાન્સપરન્ટ ટેક્સેશન- ઓનરિંગ ધ ઓનરેસ્ટનો થશે પ્રારંભ
At 11 AM on Thursday, 13th August, the platform for “Transparent Taxation – Honoring the Honest” would be launched. This adds strength to our efforts of reforming and simplifying our tax system. It will benefit several honest tax payers, whose hardwork powers national progress.
PM મોદી અનેક અવસરોએ ઈમાનદાર ટેક્સ પેયર્સના વખાણ કરી ચૂક્યા છે અને હવે તેઓ ઈમાનદાર ટેક્સપેયર્સને માટે એક મોટો પ્રોગ્રામ શરૂ કરવાના છે. છેલ્લા લગભગ 3-4 અઠવાડિયામાં પીએમ મોદી વરિષ્ઠ ટેક્સ અધિકારીની સાથે બેઠક કરી રહ્યા છે. આ બેઠકોથી તેઓ એ પરિણામ પર પહોચ્યા છે કે દેશમાં એક પારદર્શી ટેક્સેશનની જરૂર છે. આ બેઠકોમાં ટેક્સ રિટર્નને લઈને ઘણી ચર્ચા થઈ છે. માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીના નવા પ્રોગ્રામનો મુખ્ય ફોકસ ઈન્ડિવિજ્યુઅલ ટેક્સ પેયર્સ પર હશે.
ઈકોનોમી પર ભાર
મોદી સરકાર કેટલીક અન્ય જાહેરાતો પણ કરી શકે છે જેમાં પોલીસીમાં ફેરફારથી લઈને કેટલાક નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હોઈ શકે છે. તેનાથી કોરોના મહામારીની વચ્ચે અર્થવ્યવસ્થામાં ફરી એક વાર તેજી લાવવાની કોશિશ કરાશે. ઈન્ડસ્ટ્રીને વધુ પ્રતિસ્પર્ધી બનાવવાની આ કોશિશ આત્મનિર્ભર ભારત અભિયાનનો એક ભાગ છે. આ પેકેજ પીએમ ગરીબ કલ્યાણ યોજના અને આત્મનિર્ભર ભારત રિવાઈવલ પ્રોગ્રામ પછીની મોટી જાહેરાત હશે. તેના પહેલાં લાવવામાં આવેલી અનેક યોજનાઓ કોરોનાના કારણે ઈન્ડસ્ટ્રીને બચાવવા માટે હતી. આ વખતના પગલાં ઈકોપર નવા પ્રાણ પૂરવા માટેનું ફોકસ કરશે.