વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દેશનું પ્રથમ સંગ્રહાલય 'નેશનલ મ્યૂઝિયમ ઓફ ઇન્ડિયન સિનેમા'નું ઉધ્ધાટન કરશે. આ મ્યૂઝિમય 141 કરોડના ખર્ચે બનાવામાં આવ્યું છે.
જેમાં ભારતીય સિનેમાના 100 વર્ષ જૂના ઇતિહાસની જાણકારી પ્રાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ મુંબઇનો ત્રીજો પ્રવાસ છે.
ભારતીય સિનેમાના ઇતિહાસની જાણકારી આપનાર આ મ્યુઝિયમમાં દ્રશ્ય શિલ્પ ગ્રાફિક્સ અને મલ્ટીમિડીયાની સહાયતાથી ભાતીય સિનેમાની કહાનીઓ પ્રસ્તુત કરાશે.
આ મ્યુઝિયમમાં 19મી સદીના ઐતિહાસિક ગુલશન મહલ અને નવા સંગ્રહાલય ભવનમાં બનાવામાં આવ્યું છે. ખ્યાતનામ ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલ તેમજ સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસુન્ન જોષીના માર્ગદર્શન હેઠળ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે.
અહીં ભારતીય સિનેમાના 100 વર્ષથી વધારેની યાત્રાનું વર્ણન કરવામાં આવશે. પાંચ માળના બિલ્ડીંગ ભવનમાં ચાર પ્રદર્શની હોલ છે.
જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન પર બનેલી ફિલ્મો બતાવામાં આવશે. અહીં બાળ ફિલ્મ સ્ટુડિયો પણ છે જેમાં બાળકોને ફિલ્મ નિર્માણના વિજ્ઞાન પ્રોદ્યોગિકી અને કળા અંગે જાણકારી આપવામાં આવશે.