આવતીકાલે PM મોદીની સાથે સાથે અનેક સંતો અને મહંતો કાર્યક્રમમાં હાજર રહેવાના છે, 12 જ્યોતિર્લિંગ અને 51 સિદ્ધપીઠોનાં પૂજારીઓની ઉપસ્થિતિમાં પીએમ મોદીના હસ્તે આવતીકાલે કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
મહાદેવ મંદિરની તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ
હર હર મહાદેવ....મહાદેવ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પોતાના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ કાશી કોરીડૉરનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. આ લોકાર્પણની રાહ ઘણા મહાદેવ ભક્તો વર્ષોથી જોઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી મોદી વારાણસીનાં સાસંદ બન્યા પછી આખા જિલ્લામાં અનેક કામો કરવામાં આવ્યા છે પરંતુ ભગવાન ભોળાનાથનાં મંદિરનું રિનોવેશન સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.
પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ, દેશભરમાં શિવભક્તોનાં દિલ ખુશ
આવતીકાલના કાર્યક્રમને લઈને કેટલાય દિવસથી ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.
આખી કાશી નગરીની કાયાપલટ કરવામાં આવી છે અને હવે બસ આવતીકાલે લોકાર્પણ થાય તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.
આવતીકાલે પ્રધાનમંત્રી મોદીની સાથે સાથે અનેક સંતો અને મહંતો કાર્યક્રમમાં હાજર રહેવાના છે, 12 જ્યોતિર્લિંગ અને 51 સિદ્ધપીઠોનાં પૂજારીઓની ઉપસ્થિતિમાં પીએમ મોદીના હસ્તે આવતીકાલે કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
કરોડોના કોરિડોરનું લોકાર્પણ
નોંધનીય છે કે વર્ષ 2019માં આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી અને તે બાદ આજનું કાશી વિશ્વનાથ મંદિર તદ્દન અલગ જ લાગી રહ્યું છે.
હવે ગંગાઘાટ સીધા જ પરમેશ્વર મહાદેવના દર્શન થઈ શકશે, આખા કોરિડોરમાં 125 નાના મોટા મંદિરો બનાવવામાં આવ્યા છે.
શ્રી કાશી વિશ્વનાથ મંદિરનાં કાર્યપાલક સમિતિનાં અધ્યક્ષ દિપક અગ્રવાલે કહ્યું કે આ એક ઐતિહાસિક ક્ષણ છે, સદીઓ પછી કાશી વિશ્વનાથ મંદિરણો જીર્ણોદ્ધાર થયો છે. લોકો સૈકાઓ સુધી આ કામને યાદ કરશે.
લોકોના ઘરે ઘરે અપાશે પ્રસાદ, જગમગી ઉઠશે મહાદેવની નગરી
આટલું જ નહીં 14, 15 અને 16 ડિસેમ્બરે વારાણસીનાં દરેક ઘરમાં મહાદેવનો વિશેષ પ્રસાદ અને એક પુસ્તક પહોંચાડવામાં આવશે.
આવતીકાલે લેઝર શૉ અને આતિશબાજી સાથે આખા વારાણસીની ગલીઓ અને દરેક જગ્યા જગમગ થઈ ઉઠશે.
ઔરંગઝેબનાં સિપાહીઓ નંદીની મૂર્તિ તોડી નહોતા શક્યા
1669માં ઔરંગઝેબનાં આદેશ પર મુઘલ સેનાએ તોડી પાડ્યું હતું ભોળાનાથનું આ મંદિર, જોકે મહાદેવનાં સ્વયંભૂ જ્યોતિર્લિંગને કોઈ નુકસાન ન થાય તે માટે તે સમયના મહંત શિવલિંગ લઈને જ્ઞાનવાપી કુંડમાં કૂદી ગયા હતા. મુઘલ સસેનાએ મંદિરનાં નંદીની મૂર્તિ તોડવા ઘણા પ્રયાસ કર્યા પરંતુ તોડી નહોતા શક્યા.
The iconic Kashi Vishwanath Dham Project envisaged by PM Shri @narendramodi befits its magnificent history showcasing our cultural and civilisational richness.
For more such videos, photos and more of the Kashi Vishwanath Corridor, check out the 'Your Voice' section of the Volunteer module of the NaMo App!#DivyaKashiBhavyaKashipic.twitter.com/ETrPesFPNG