પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વધતા કોરોનાના કેસને લઇને તમામ રાજ્યોના CM સાથે ચર્ચા કરવા આજે એક બેઠક બોલાવી છે.
પીએમ અને સીએમની વચ્ચે જરુરી બેઠક 12.30 વાગે શરુ થશે
મુખ્ય શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લીધો
આ બેઠકમાં લોકડાઉનને લઈને મોટો નિર્ણય લેવામાં આવશે
દેશમાં સતત વધતા કોરોનાના કેસને લઇને ચિંતા વધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વધતા કોરોનાના કેસને લઇને તમામ રાજ્યોના CM સાથે ચર્ચા કરવા આજે એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં લોકડાઉનને લઈને મોટો નિર્ણય લેવામાં આવશે. ત્યારે કેટલાક રાજ્યોમાં સરકારોએ મુખ્ય શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લીધો છે. પીએમ મોદીએ સીએમની સાથે રસી કાર્યક્રમને શરુ કરતા પહેલા બેઠક કરી હતી.
પીએમ અને સીએમની વચ્ચે જરુરી બેઠક 12.30 વાગે શરુ થશે
પીએમ અને રાજ્યોમાં સીએમની વચ્ચે જરુરી બેઠક 12.30 વાગે શરુ થશે. કહેવામાં આવી રહ્યુ છે કે આ દરમિયાન પીએમ રાજ્યોમાં રસીકરણ કાર્યક્રમ અને કોરોના વાયરસને અટકાવવા માટે ભરવામાં આવતા પગલાની સમીક્ષા કશે. આ ઉપરાંત અનુમાન લગાવાઈ રહ્યું છે કે ચરણબદ્ધ રીતે ચાલી રહેલા રસીકરણ કારયક્રમ ઉપરાંત આવનારા સમયમાં વધારે રસી આપવામાં આવી શકે છે.
પહેલા મહારાષ્ટ્રની વાત
મીડિયા રિપોર્ટમાં જણાવ્યાનુંસાર મહારાષ્ટ્ર કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. આ સંબંધમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો હતો. રાજ્યમાં ગત અઠવાડિયે કોવિડની સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્રની ટીમ પહોંચી હતી. આ ટીમથી મળતી જાણકારીના આધાર પર સચિવે રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો. કેન્દ્રએ રાજ્યમાં સાવધાનિઓની બેદરકારી અને નબળી વ્યવસ્થાને ટાંકી હતી.
મહારાષ્ટ્રમાં ગત મંગળવારે 17 હાજરથી વધારે નવા મામલા સામે આવ્યા છે. તેવામાં બીએમસીએ પોતાના અધિકાર ક્ષેત્રમાં શિક્ષણ અને સ્કૂલ સ્ટાફને ઘરેથી કામ કરવા કહ્યું છે. બીએમસીએ 17 માર્ચ એટલે કે બુધવારે 50 ટકા રોટેશન અટેન્ડેન્સ નિયમ લાગૂ કરવાની વાત કરી છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા 23 લાખને પાર થઈ ચૂકી છે. ત્યારે 53 હજાર લોકો મહામારીથી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.
અન્ય રાજ્યોના કડક કર્યા નિયમો
મહારાષ્ટ્ર ઉપરાંત અનેક રાજ્યોમાં કોરોનોનો કહેર યથાવત છે. ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કર્ફ્યૂ 2 કલાક માટે વધારવામાં આવ્યું છે. ત્યારે મધ્ય પ્રદેશના 10 શહેરોમાં રાતે 10 વાગ્યા બાદ દુકાનો બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ શહેરોમાં જબલપુર, ગ્વાલિયર, ઉજ્જૈન, રતલામ, છિંદવાડા, બુરહાનપુર, બૈતુલ અને ખરગૌનનું નામ સામેલ છે. આ ઉપરાંત રાજ્યની રાજધાની ભોપાલ અને ઈન્દોરમાં નાઈટ કર્ફ્યૂની જાહેરાત થઈ ચૂકી છે.