પીએમ મોદી આજે અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ઓનલાઈન બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં કોરોનાના વધેલા કેસ અને તેના ઉપાયોને લઈને વાતચીત થશે. આ બેઠક એવા સમયે થઈ રહી છે. જ્યારે રાજધાની દિલ્હી સહિત દેશના 10 રાજ્યોમાં કોરોનાના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. સાથે કોરોનાથી થનારા મોતની સંખ્યા વધી છે.
દેશમાં કોરોનાના નવા કેસ લગભગ 79 ટકા અને 75 ટકા મોત 10 રાજ્યોમાં જોવા મળી
દિલ્હી સહિત દેશના 10 રાજ્યોમાં કોરોનાના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે
આ રાજ્યો તેમના પગલા વિશે પીએમ મોદીને બ્રીફ કરશે
સૂત્રોના જણાવ્યાનુંસાર મોદી આ રાજ્યોમાં આરટી પીસીઆર ટેસ્ટ વધારવા, બજારોમાં ભીડ પર નિયંત્રણ કરવા, માસ્ક ન પહેરનાર પર દંડ લગાવવા, સોશિયલ ડિસ્ટન્સિંગ અને બીજા ઉપાયો પર જાગરુક્તા વધારવા પર ચર્ચા કરશે. આ ઉપરાંત આ રાજ્યો તેમના પગલા વિશે પીએમ મોદીને બ્રીફ કરશે. જે તેમણે કોરોનાને ફેલાતો અટકાવવા માટે ભર્યા છે.
આ રાજ્યોમાં સૌથી વધારે મોત
દેશમાં કોરોનાના નવા કેસ લગભગ 79 ટકા અને 75 ટકા મોત 10 રાજ્યોમાં જોવા મળી છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને કેરળમાં સૌથી વધારે કેસ દાખલ થયા છે. ત્યારે દિલ્હી, મહારાષ્ટ્ર અને પ. બંગાળમાં દર રોજ થનારા મોત સૌથી વધારે છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશથી આવનારા કોરોનાના આંકડા ચિંતાજનક છે.
અહીં મોકલવામાં આવી કેન્દ્રની ટીમ
કેન્દ્રએ યુપી, પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મણિપુર અને છત્તીસગઢમાં પોતાની ટીમ મોકલી છે. આ ટીમો રાજ્યમાં સ્વાસ્થ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈસીયૂ અને ઓક્સિજન બેસ્ડ બેડની ઉપબલ્ધતાની સમીક્ષા કરશે.
એ પણ આશા સેવાઈ રહી છે કે પીએમ મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓને પાતાને ત્યાં રસીના ભંડારણ માટે કોલ્ડસ્ટોરેજની ઉપલબ્ધતા અને રસીના વિતરણની રણનીતિ બનાવવા પર વાત કરશે. આ પહેલા સપ્ટેમ્બરમાં થયેલી આ પ્રકારની બેઠકમાં પીએમએ કોરોનાથી વધારે અસરગ્રસ્ત રાજ્યોને કહ્યું હતુ કે તે પોતાના 60 વધારે અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોરોનાને ફેલાવાથી રોકવા માટે વિશેષ પ્રયત્નો કરે.