PM મોદી આજે બિહારમાં 3 પેટ્રોલિયમ યોજનાનું ઉદ્ઘાટન કરશે. આ ત્રણેય યોજનાઓ 901 કરોડની રહેશે. બિહારમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. કાર્યક્રમના ભાગરૂપે સીએમ નીતિશ કુમાર અને પેટ્રોલિયમ મંત્રી પણ કાર્યક્રમમાં હાજર રહીને સંબોધન કરશે.
બિહારમાં ચૂંટણીની તૈયારીઓ
પીએમ મોદી આજે બિહારને આપશે ભેટ
3 પેટ્રોલિયમ યોજનાઓનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે એેટલે કે રવિવારે બિહારને ચૂંટણીની ભેટ સ્વરૂપ 3 પેટ્રોલિયમ યોજનાઓનું ઉદ્ધાટન કરશે. જેમાં પારાદીપ- હલ્દીયા-દુર્ગાપુર ગેસ પાઈપલાઈનનું દુર્ગાપુર બાંકા ખંડ સહિત 2 એલપીજી બોટલિંગ પ્લાંટ સામેલ છે. પીએમએ આ પાઈપલાઈનનો શિલાન્યાસ 17 ફેબ્રુઆરી 2019ના રોજ કર્યો હતો. રાજ્યમાં પ્રભુત્વ ધરાવનારી ઈન્ડિયન ઓઈલ કોર્પ દ્વારા નિર્મિત 193 કિલોમીટર લાંબી દુર્ગાપુર- બાંકા પાઈપલાઈન ખંડને રાષ્ટ્રને સોંપવામાં આવશે. આ અવસરે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ હાજર રહેશે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સની મદદથી આ પરિયોજનાઓ દેશને સમર્પિત કરશે.
प्रधानमंत्री नरेंद्र मोदी आज वीडियो कॉन्फ्रेंसिंग के जरिए बिहार के पेट्रोलियम क्षेत्र से जुड़ी तीन परियोजनाओं को देश को समर्पित करेंगे। pic.twitter.com/fhGRbWqSPE
આ સાથે પીએમ મોદી બાંકા સ્થિત એલપીજી બોટલિંગ પ્લાન્ટનું પણ ઉદ્ધાટન કરશે. ઈન્ડિયન ઓઈલનો આ એલપીજી બોટલિંગ પ્લાન્ટ બિહાર માટે ખાસ મહત્વનો છે. આ પરિયોજના લગભગ 131.75 કરોડના ખર્ચે તૈયાર થઈ છે. તેના શરૂ થવાથી બિહારના ભાગલપુર, બાંકા, જમુઈ, અરરિયા, કિશનગંજ અને કટિહાર જિલ્લાના લોકોને ફાયદો મળશે. આ સાથે ઝારખંડના ગોડ્ડા, દેવઘર, દુમકા, સાહિબગંજ અને પાકુરના લોકોને ફાયદો થશે. આ પ્લાન્ટ લોકો માટે ફાયદારૂપ સાબિત થશે. પ્લાન્ટની ક્ષમતા 40 હજાર સિલિન્ડર પ્રતિ દિવસની રહેશે. ચંપારણના હર સિદ્ધિમાં બોટલિંગ પ્લાન્ટને 136.4 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો છે. તેને પણ આજે રાષ્ટ્રને સમર્પિત કરાશે. તેનું અનાવરણ 10 એપ્રિલ 2018ના રોજ કરાયું હતું. આ બોટલિંગ પ્લાન્ટથી પૂર્વી ચંપારણ, પશ્ચિમી ચંપારણ, મુઝફ્ફરપુર, સિવાન, ગોપાલગંજ અને સીતામઢી જિલ્લાના લોકોને લાભ થશે.