ભારતમાં કોરોનાની બીજી લહેર આવી છે. જેના કારણે સતત કેસમાં વધારો નોંધાય છે.
કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રમાં બીજા વેવની શરૂઆત ગણાવી છે
હાલની સ્થિતિને જોતા મરનારાની સંખ્યા 1.58 લાખને પાર થઈ ચૂકી છે
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 2.2 લાખ પર પહોંચી ગઈ છે.
કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રમાં બીજા વેવની શરૂઆત ગણાવી છે
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 17 હજારથી વધુ કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રમાં બીજી લહેરની શરુઆત ગણાવી છે. આ સ્થિતિને જોતા ન ફક્ત રાજ્યમાં પરંતુ આખા દેશમાં જરુરી પગલા ભરાઈ રહ્યાછે.
મુંબઈમાં શિક્ષકોને ઘરેથી કામ કરવા કહ્યુ
મહારાષ્ટ્રના મુંબઈમાં શિક્ષકોને ઘરેથી કામ કરવા કહ્યુ છે. મહારાષ્ટ્રમાં આવનારા લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે અને એક અઠવાડિયું આઈસોલેશનમાં રાખવામાં આવશે. તો મધ્ય પ્રદેશના ઈન્દોર અને ભોપાલમાં નાઈટ કર્ફ્યૂ લગાવાયું છે. રાજ્યના બીજા 10 શહેરો- જબલપુર,ગ્વાલિયર, ઉજ્જૈન, રતલામ, છિંદવાડા, બુરહાનપુર, બેતુલ અને ખરગૌનમાં રાતના 10 વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે. હોળી પર સાર્વજનિક કાર્યક્રમ નહીં થાય. ગુજરાતમાં અનેક શહેરમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરી દેવાયું છે. તો પંજાબમાં પણ સ્કૂલો બંદ કરી દેવામાં આવી છે. પીએમએ આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્તમાન સ્થિતિ મુદ્દે બેઠક બોલાવી છે.
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 2.2 લાખ પર પહોંચી ગઈ છે
તેમજ ગુજરાત, પંજાબ અને મહારાષ્ટ્રમાં સ્કૂલ બંધ કરવા નિર્દેશ કરવામાં આવ્યો છે. પંજાબમાં બોર્ડની પરીક્ષાઓ પણ ટાળી દેવામાં આવી છે. ભારતની વાત કરીએ તો એક દિવસમાં દેશમાં 24 હજાર 492 પોઝિટિવ કેસ નોંધાયા છે. અને એક દિવસમાં 131 દર્દીના મૃત્યુ થયા છે. સતત વધી રહેલા કેસના કારણે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 2.2 લાખ પર પહોંચી ગઈ છે.
સમગ્ર દેશમાં 1.14 કરોડ દર્દીઓ
સમગ્ર દેશમાં એક દિવસમાં 24, 492 પોઝિટિવ કેસની સાથે કુલ સંખ્યા 1.14 કરોડને પાર થઈ ચૂકી છે. ત્યારે 131 લોકોના મોતની સાથ મરનારાની સંખ્યા 1.58 લાખને પાર થઈ ચૂકી છે. સતત છઠ્ઠા દિવસે મામલા ભારે તેજીની સાથે એક્ટિવ કેસ 2.2 લાખથી વધારે થઈ ચૂક્યા છે.
મહારાષ્ટ્રમાં મર્યાદિત સક્રિયતા
એક કેન્દ્રીય ટીમે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની બીજી વેવ ગણાવી છે અને કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે રાજ્યમાં કડક પગલા ભરવાનું કહેવામાં આવે. ટીમના જણાવ્યાનુંસાર કોરોનાના દર્દીઓના કોન્ટેક્ટમાં આવેલાને ટ્રેસ, ટેસ્ટ, આઈસોલેટ અને ક્વોરેન્ટાઈન કરવામાં મર્યાદિત સક્રિયતા જોવા મળી રહી છે. શહેર અને ગ્રામીણ વિસ્તારમાં કોરોના સામે લડવા લોકોનો વ્યવહાર અનુકુળ નથી. મહારાષ્ટ્રમાં મંગળવારે 17, 864 નવા મામલા સામે આવ્યા છે અને 87 લોકોના મોત થયા છે. કુલ મામલા 23.47 લાખને પાર થયા છે અને મરનારની સંખ્યા લગભગ 53 હજાર થઈ ચૂકી છે.
નવા નિયમો લાગુ થયા
મહારાષ્ટ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા નવા નિયમોમાં, સૌથી પ્રખ્યાત નિયમ થિયેટરો, હોટલો, રેસ્ટોરન્ટોને 50 ટકાની ક્ષમતા સાથે ખુલ્લા રાખવાનો છે. આ નિયમ હેઠળ, ગ્રાહકો અને કર્મચારીઓને માસ્ક, સેનિટાઇઝર, સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું જરૂરી બનશે. શોપિંગ મોલમાં પણ થિયેટરો અને હોટેલ-રેસ્ટોરન્ટ્સ માટે નક્કી કરેલા નિયમોનું પાલન કરવામાં આવશે. કોઈપણ સાંસ્કૃતિક, સામાજિક અથવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવા અને ત્યાં ભીડ એકત્રિત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.