કાશ્મીર મુદ્દાને લઈને એક વાર ફરી વિવાદ સર્જી શકે છે ઈમરાન
દુનિયાના અનેક દેશ કાશ્મીરને ગણાવી ચૂક્યા છે આંતરિક મુદ્દો
પીએમ મોદીના ભાષણના ક્રમમાં થયો ફેરફાર
UN જનરલ સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7મા ક્રમની જગ્યાએ ચોથા ક્રમે ભાષણ કરશે. એટલે કે સાંજે 7.15 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી UNમાં ભાષણ કરશે. જ્યારે ઈમરાન ખાનનું ભાષણ પહેલા 8મા ક્રમે હતું. જેમાં પણ ફેરફાર થયો છે. અને હવે 7મા ક્રમે ઈમરાન ખાન ભાષણ કરશે.
કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો, ઈમરાનના તમામ પ્રયાસ થશે ફેલ
પીએમ મોદીના ભાષણ બાદ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન બોલશે. જમ્મૂ કાશ્મીરથી 370 હટાવ્યા બાદથી આંતરરાષ્ટ્રિય મંચ પર ભારતની વિરુદ્ધ માહોલ બનાવવાની તેમની તમામ કોશિશ ફેલ રહી છે. આમ છતાં શક્ય છે કે તેઓ આજે ફરી યૂએનના મંચથી પોતાની નકારાત્મક વાતોને વેગ આપે. જો કે કોઈએ આ વાતો પર ધ્યાન આપ્યું નથી અને સંયુક્ત રાષ્ટ્ર સહિત વિશ્વની તામામ મહાશક્તિઓએ પહેલં કાશ્મીરને ભારતનો આંતરિક મુદ્દો ગણાવીને તેમાં દખલ ન દેવાનો નિર્ણય કર્યો છે.
આતંકીઓને શરણ આપનારા પર થશે કડક કાર્યવાહીઃ ભારત
ભારતે પાકિસ્તાનનું નામ લીધા વિના આતંકવાદ વિરુદ્ધ વૈશ્વિક લડાઈમાં આતંકીઓને શરણ અને નાણાંકીય મદદ આપનારા દેશોની ઓળખ પર ભાર મૂક્યો છે. વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની મંત્રિસ્તરીય વાતચીતને સંબોધિત કરી હતી.
તેઓએ આતંકવાદને લઈને સ્પષ્ટ કહ્યું કે તેની પર કાબૂ મેળવવા માટે તેને વેગ આપનારા દેશોની વિરુદ્ધ ખાસ પગલાં લેવા અને સાથે તેમને જવાબદાર ઠેરવવા. મુરલીઘરને આંતરરાષ્ટ્રિય સમુદાયથી કોઈ વિલંબ વિના તત્કાલ સીસીઆઈટી (આંતરરાષ્ટ્રિય આતંકવાદ પર સમજૂતી)ને સ્વીકાર કરવાની અપીવલ કરી. જેનાથી આતંકવાદ પર એક થઈને વિજય મેળવી શકાય.
સીસીઆઈટી સંધિનો પ્રસ્તાવ ભારતે 1996માં સંયુક્ત રાષ્ટ્રમાં મૂક્યો હતો. પરંતુ લગભગ અઢી દશક સુધી પણ દરેક દેશ તેની પર સહમતિ બનાવી શક્યા નહીં. આ પ્રસ્તાવિત સંધિનો હેતુ દરેક પ્રકારના આંતરરાષ્ટ્રિય આતંકવાદને અપરાધની રીતે ચિહ્નિત કરવા અને સાથે જ તેમના નાણાંકીય પોષકો અને સમર્થકોને નાણાં, હથિયારો અને તેમના ખાસ સ્થાનોથી વંચિત કરવાનો હતો.