બંગાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેલી ગજવશે. આ જનસભા પહેલા ભાજપે રણનીતિ બદલી નાખી છે. હવે ભાજપ ઘાયલ મમતા બેનર્જી પર કોઈ પર્સનલ અટેક નહીં કરે પણ સરકારની નિષ્ફળતાઓને ગણાવશે.
બંગાળમાં આજે PMની રેલી, ભાજપે બદલી રણનીતિ
મમતા બેનર્જી પર નહીં કરે પર્સનલ અટેક
મમતા સરકારની નિષ્ફળતાને કરશે ટાર્ગેટ
30 બેઠક પર 27 માર્ચે છે મતદાન
બંગાળમાં PMની રેલી પહેલા ભાજપે બદલી રણનીતિ
પાંચ રાજ્યોમાં ચૂંટણીને લઈને આજથી પીએમ મોદીનો તાબડતોડબ પ્રચાર ચાલુ થવા જઈ રહ્યો છે. આજે પીએમ મોદી બંગાળના પૂરુલિયામાં જાહેર સભાને સંબોધિત કરશે જ્યારે ભાજપે આ રેલી પહેલા પોતાની રણનીતિમાં મોટો ફેરબદલ કર્યો છે. ભાજપે નક્કી કર્યું છે કે મમતા પર પર્સનલ અટેક નહીં કરવામાં આવે અને સરકારની નાકામીઓ ગણાવવામાં આવશે. પીએમ મોદી અસમના કરીમગંજમાં પણ રેલી કરવાના છે.
મમતા બેનર્જી ઘાયલ થયા બાદ PMની આ પ્રથમ સભા
બંગાળમાં પોતાના પક્ષમાં માહોલ બનાવવા માટે ભાજપ દ્વારા કમર કસી લેવાં આવી છે. આ રાજ્યમાં 27 માર્ચે પહેલું વોટિંગ થવાનું છે ત્યારે હવે પીએમ મોદી મોરચો સંભાળવા મેદાનમાં આવી ગયા છે.
PM મોદી બંગાળના પુરુલિયામાં સંબોધશે સભા
પીએમ મોદીએ સભા પહેલા ટ્વિટ કરીને કહ્યું કે આવતીકાલે મને બંગાળના ભાઈ બહેનો વચ્ચે હાજર થવાનો અવસર મળશે. પૂરુલિયામાં એક જનસભાને સંબોધિત કરીશ. આખા બંગાળમાં પરિવર્તનની ઈચ્છા જાગૃત થઈ ગઈ છે અને ભાજપનો સુશાનનો એજન્ડા લોકોને ખૂબ ગમી રહ્યો છે.
ઘાયલ મમતા બેનર્જી પર નહીં કરવામાં આવે પર્સનલ અટેક
નોંધનીય છે કે મીડિયા અહેવાલો અનુસાર સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હવે ભાજપે હવે રણનીતિ બદલવા જઈ રહી છે. સૂત્રો અનુસાર ભાજપ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે હવેથી મમતા બેનર્જી પર પર્સનલ હુમલા ઓછા કરી દેવામાં આવશે અને સરકારની જે કમીઓ છે તેના પર બહાર આપવામાં આવશે.
બંગાળમાં પ્રથમ તબક્કામાં 30 બેઠક પર 27 માર્ચે મતદાન
નોંધનીય છે કે મમતા બેનર્જી બંગાળમાં સહાનુભૂતિ મેળવવા માંગે છે અને તેના માટે વ્હીલચેર પર સભાઑ કરી રહ્યા છે. મમતા બેનર્જીના આ દાવ સામે ભાજપે નક્કી કર્યું છે કે હવેથી પર્સનલ હુમલા કરીને મમતાને ફૂટેજ આપવાં આવશે નહીં.