કોરોના વાયરસને કારણે દેશમાં લૉક ડાઉનની અટકળોને પીએમ કાર્યાલયે ફગાવી દીધી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પીએમઓએ કહ્યું છે કે પીએમ મોદી આજે રાત્રે આઠ વાગ્યે પોતાના સંબોધનમાં લૉક ડાઉન જેવી કોઇ જાહેરાત નહીં કરે.
કોરોના વાયરસને કારણે દેશમાં લૉક ડાઉનની અટકળોને પીએમ કાર્યાલયે ફગાવી
અફવાઓ અને અટકળો પર બિલકુલ પણ ધ્યાન ન આપવું જોઇએ : PMO
પીએમઓએ કહ્યું છે કે તેની સાથે જોડાયેલા સમાચાર પાયાવિહોણા છે અને તેનાથી બિન જરૂરી લોકોના મનમાં ડર પેદા થશે. પીએમઓએ કહ્યું કે હાલ અફવાઓ અને અટકળો પર બિલકુલ પણ ધ્યાન ન આપવું જોઇએ.
નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી કોરોના વાયરસને પગલે આજે રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કરશે. તેને લઇને અટકળો તેજ થઇ ગઇ છે. લોકો મોટી માત્રામાં રાશનની ખરીદી કરી રહ્યા છે. ઘણા લોકોને આશંકા છે કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પીએમ નરેન્દ્ર મોદી દેશવ્યાપી લૉક ડાઉનની જાહેરાત કરી શકે છે. જોકે, પીએમઓએ આ અફવાઓ અને અટકળોને ફગાવી દીધી છે.
કોરોના વાયરસને પગલે કર્ણાટકના કલબુર્ગી જિલ્લામાં કલમ 144 લગાવી દેવાઇ છે. હવે કોઇપણ હાલતમાં લોકો એક જગ્યાએ એકઠા થઇ શકશે નહીં.
ભારતમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારનીં સખ્યા વધીને 4 થઇ ગઇ છે. પંજાબમાં કોરોના વાયરસથી એક વ્યક્તિનું મોત થયું છે. કોરોના વાયરસથી પંજાબમાં ચોથા વ્યક્તિનું મોત થયું છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ગુરુવારે (19 માર્ચ 2020) વધીને 186 થઇ છે.