મનની વાત કાર્યક્રમ માટે પીએમ મોદીએ દેશવાસીઓને પોતાના વિચારો શેર કરવા માટે કહ્યું હતુ. કાર્યક્રમમાં સરદાર પટેલને નમન કર્યુ.
એક્તા નહીં હોય તો આપણે પોતાને નવી નવી સમસ્યાઓમાં નાંખીશુ
આ એ દિવસ છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રનું ગઠન થયુ હતુ
સંસ્કૃતિ મંત્રાલય આનાથી જોડાયેલ એક નેશનલ સ્પર્ધા કરવા જઈ રહ્યું છે
આ એ દિવસ છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રનું ગઠન થયુ હતુ
પીએમ મોદીએ કહ્યું આજે 24 ઓક્ટોબરે યૂએન ડે એટલે સંયુક્ત રાષ્ટ્ર દિવસ મનાવાઈ રહ્યો છે. આ એ દિવસ છે જ્યારે સંયુક્ત રાષ્ટ્રનું ગઠન થયુ હતુ. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનાના સમયથી જ ભારત તેમાં જોડાયેલું છે. શું તમે જાણો છો આઝાદીની પહેલા 1945માં જ સંયુક્ત રાષ્ટ્રના Charter પર હસ્તાક્ષર કર્યા હતા? સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલા અનોખા પાસાઓ એ છે કે સંયુક્ત રાષ્ટ્રના પ્રભાવ અને તેની શક્તિઓ વધારવામાં ભારતની નારી શક્તિની મોટી ભૂમિકા નિભાવી છે.
સંસ્કૃતિ મંત્રાલય આનાથી જોડાયેલ એક નેશનલ સ્પર્ધા કરવા જઈ રહ્યું છે
પીએમે કહ્યું કે અમૃત મહોત્સવમાં પણ આપણી કળા, સંસ્કૃતિ, ગીત, સંગીતના રંગ જરુર ભરવા જોઈએ. આપણે ત્યાં રંગોળીના માધ્યમથી તહેવારોમાં રંગ ભરવાની પરંપરા તો સદીઓથી છે. રંગોળીમાં દેશની વિવિધતાના દર્શન થાય છે. સંસ્કૃતિ મંત્રાલય આનાથી જોડાયેલ એક નેશનલ સ્પર્ધા કરવા જઈ રહ્યું છે.
આપણા અંતર્મનની યાત્રાનો માર્ગ બનાવવામાં વિભિન્ન કળાઓની મોટી ભૂમિકા હોય છે
પીએમે કહ્યું કે પ્યારા દેશવાસીઓ જીવન નિરંતર પ્રગતિ ઈચ્છે છે. વિકાસ ઈચ્છે છે. ઉંચાઈઓને પાર કરવા ઈચ્છે છે. ગીત-સંગીત, કળા, નાટ્ય -નૃત્ય, સાહિત્ય, આ તમામ વિદ્યાઓ, આપણા જીવનમાં એક catalystનું કામ કરે છે. આપણી ઉર્જા વધારવાનું કામ કરે છે. માનવ મનના અંતર્મનને વિકસિત કરવામાં આપણા અંતર્મનની યાત્રાનો માર્ગ બનાવવામાં ગીત સંગીત અને વિભિન્ન કળાઓની મોટી ભૂમિકા હોય છે. આની મોટી તાકાત એ હોય છે કે આને ન સમય બાંધી શકે છે ન સીમા બાંધી શકે છે. ન તો મત મતાંતર બાંધી શકે છે.
એક્તા નહીં હોય તો આપણે પોતાને નવી નવી સમસ્યાઓમાં નાંખીશુ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરદાર સાહેબ કહેતા હતા કે આપણે એકતાના સાહસથી દેશમાં નવી મહાન ઉંચાઈઓ સુધી પહોંચી શકીએ છીએ. આપણામાં એક્તા નહીં હોય તો આપણે પોતાને નવી નવી સમસ્યાઓમાં નાંખીશુ.
હું લોખંડી પુરુષને નમન કરુ છું- પીએમ
પીએમએ મન કી બાતમાં કાર્યક્રમમમાં કહ્યું કે આવતા રવિવારે 31 ઓક્ટોબરે સરદાર પટેલજીની જન્મ જયંતી છે. મન કી બાતના દરેક શ્રોતાઓ તરફથી અને મારી તરફથી હું લોખંડી પુરુષને નમન કરુ છું. આપણા બધાની જવાબદારી છે કે આપણે એક્તાનો સંદેશ આપનારી કોઈને કોઈ પ્રવૃત્તિ સાથે જરુર જોડાય.
મન કી બાત કાર્યક્રમની શરુઆત રસીકરણની સિદ્ધીથી કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની શરુઆતમાં કહ્યું કે આપણા રસીકરણ કાર્યક્રમની સફળતા, ભારતના સામર્થ્યને દર્શાવે છે. સૌના પ્રયાસથી મંત્રની શક્તિને દર્શાવે છે. હું આપણા દેશ, આપણા દેશવાસીઓની ક્ષમતાઓથી સારી રીતે પરિચિત છું. હું જાણતો હતો કે આપણા હેલ્થ વર્ક્સ દેશવાસીઓનું રસીકરણ કરવામાં કોઈ કસર નહીં છોડે.