વારાણસીથી ફરી એકવાર સાંસદ ચૂંટાયા બાદ સોમવારે પહેલીવાર કાશી પહોંચેલા નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં રૂદ્રાભિષેક કર્યો.
બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ પીએમ મોદી સાથે કાશી પહોંચ્યા હતા. વિશ્વનાથ મંદિરમાં પૂજા - અર્ચના કર્યા બાદ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હસ્તકલા કેન્દ્રમાં આયોજિત સમારોહને સંબોધિત કરતા પીએમ મોદીએ કાર્યકર્તાઓને ધન્યવાદ પાઠવ્યા.
વડાપ્રધાન મોદીએ અહીં હાજર લોકોને કહ્યું- 'પ્રણામ બા'. એમણે કહ્યું કે પાર્ટી અને કાર્યકર્તા જે આદેશ કરે છે તેનું હું પાલન કરું છું. પીએમ મોદીએ કહ્યું કે જે દિવસે હું કાશી આવ્યો હતો એ દિવસે જે દ્રશ્ય હતું તેણે આખા દેશને પ્રભાવિત કર્યું હતું. કાશીનો મિજાજ જે રીતે પ્રગટ થઇ રહ્યો હતો. તેને આખો દેશ જોઇ રહ્યો હતો. બાદમાં જ્યારે અહીંના કાર્યકર્તાઓએ કહ્યું હતું કે એક મહીના સુધી આપ કાશીમાં પ્રવેશ નથી કરી શકતા તો મારા માટે આપનો આદેશ સર્વોપરિ છે. હું તમારા માટે કાર્યકર્તા છું.
પીએમ મોદીએ કહ્યું કે હું કાશી આવવા ઇચ્છતો હતો. હું ચૂંટણી પરિણામને લઇને નિશ્ચિત હતો. હું એ માટે બાબા કેદારના ચરણોમાં બેઠો હતો. કાશીએ જે શક્તિ મને આપી છે, એવું સૌભાગ્ય મળવું મુશ્કેલ છે. એમણે મીડિયા અને વહીવટીય તંત્રનો પણ ખુબ અભિનંદન પાઠવે છે.
Varanasi: More visuals from Kashi Vishwanath temple as PM Narendra Modi offers prayers. pic.twitter.com/3RFDhPzIVp
પીએમ મોદી કહ્યું કે, આ ચૂંટણીમાં એવું લાગી રહ્યું હતું કે એક નહીં દરેક ઘરનો નરેન્દ્ર મોદી લડી રહ્યો હતો. મોટાભાગે આ પ્રકારની ચૂંટણી થાય છે ત્યારે લોકોને લાગે છે કે ચૂંટણીમાં જીત પાકી જ છે. પંરતુ આ ચૂંટણીને જીત અને હારના તાજવે ન તોલવી જોઇએ. તેને લોકશિક્ષા અને લોકસમર્પણનું પર્વ માનવામાં આવ્યું. કાર્યકર્તા તમામ ઘરે ગયા, દરેક મતદાતાને મળ્યા. તમામ કસોટીઓમાં તમે પાસ થયા છો. તેથી આપ ધન્યવાદને પાત્ર છો. પીએ મોદીએ કહ્યું કે આજે હું ભલે કાશીથી બોલી રહ્યો છું. પરંતુ આખા ઉત્તરપ્રદેશનો આભારી છું.