પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એક વખત કોંગ્રેસને આડેહાથ લીધુ હતું. સોમવારે ઝારખંડમાં યોજાયેલ એક રેલી દરમિયાન, વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારતના ઇતિહાસમાં સૌથી મોટું કોલસા કૌભાંડ એ કૉંગ્રેસની દેન છે. આ સાથે જ તેમણે વધારામાં કહ્યું કે, જો કોંગ્રેસમાં દમ હોય તો તે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના નામે ચૂંટણી લડી દેખાડે.
ચાઇબાસામાં એક રેલીને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશ અસ્થિરતા નથી ઇચ્છતો, એક સ્થિર અને મજબૂત સરકાર ઇચ્છે છે. દેશ એક મજબુર અને રિમોટથી ચાલનારો વડાપ્રધાન નથી ઇચ્છકો પરંતુ મજબુત અને દમદાર પ્રધાનમંત્રી ઇચ્છે છે. આ સાથે જ PM મોદીએ કહ્યું કે, દેશ ભ્રમવાળી સરકાર નથી ઇચ્છતો. દેશ ડઝન જેટલા ભ્રષ્ટાચારી, વંશવાદીના હાથમાં પોતાનું ભવિષ્ય સોંપવા નથી ઇચ્છતો પરંતુ એક સ્પષ્ટ નેતૃત્વ ઇચ્છે છે.
વિપક્ષ પર આકરા પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું નામદાર પરિવાર અને તેમના રાગદરબારીયો, ચેલાઓને પડકાર આપુ છું કે, જો હિમ્મત હોય તો પૂર્વ વડાપ્રધાન (રાજીવ ગાંધી) જેમના નામ પર બોફોર્સનો આરોપ છે તે મુદ્દાને મેદાનમાં લાવવામાં આવે.
#WATCH PM in J'khand,"Namdaar ke parivaar ko chunauti deta hoon,aaj ke charan to pura hua lekin himmat ho to aage 2 charan baaki hain,agar aapko purv PM jin pe Bofors ke bhrashtachar ke aarop hain,un ke maan-samman ke mudde par main chunauti deta hun,us mudde pe chunaav ladiye" pic.twitter.com/Yh6OcBsPcV
અહીંથી નહીં અટકતા વડાપ્રધાને કહ્યું કે, અહીં કોલસાની ખાણોની કેવી રીતે વહેચણી ચાલતી હતી તેનો આપ સૌએ અનુભવ કર્યો છે. ભારતના ઇતિહાસનો સૌથી મોટો કોલસાકાંડ કોંગ્રેસે દેશને આપ્યો છે. એક એવા મુખ્યમંત્રી કોંગ્રેસ અને તેમના મળતિયાઓએ આપ્યા જેમનું લક્ષ્ય માત્ર ગોટાળા કરવાનું હતું.