PM મોદીએ 7 રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે ફોન પર ખાસ કરીને 2 વાતની માહિતી લીધી હતી. તેમાં કોરોના મહામારી અને સાથે વરસાદને કારણે સતત સર્જાઈ રહેલી મુશ્કેલીની માહિતી લીધી. PM મોદીએ જે 7 રાજ્યોના મુખ્યમંત્રીઓને ફોન કર્યા હતા તેમાં બિહાર, ઉત્તરાખંડ, તેલંગાણા, અસમ, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને તમિલનાડુનો સમાવેશ થાય છે.
PM મોદીએ મુખ્યમંત્રીઓને ફોન કરીને જાણી સ્થિતિ
અસમના મુખ્યમંત્રી પાસેથી પૂર અને કોરોનાની જાણકારી મેળવી
તમિલનાડુના મુખ્યમંત્રીએ કોરોનાની જાણકારી આપી
PM મોદીએ દરેક રાજ્યોને કેન્દ્ર તરફથી સંભવ મદદનું આશ્વાસન આપ્યું
PM મોદીએ રવિવારે બિહાર, ઉત્તરાખંડ, તેલંગાણા, અસમ, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને તમિલનાડુના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને પૂર અને કોરોનાની માહિતી લીધી. આ બબબતે વિસ્તારથી ચર્ચા કરીને તેઓએ કહ્યું કે કેન્દ્ર તરફથી શક્ય તમામ જરૂરી મદદ કરવામાં આવશે. પીએમએ અસમમાં પૂરના કારણે સ્થિતિથી લડવા માટે શક્ય તમામ મદદ રાજ્યને કરવાનું આશ્વાસન આપ્યું છે. આ પૂરના કારણે અત્યાર સુધી અહીં લગભગ 81 લોકોના મોત થયા છે.
Hon'ble PM Shri @narendramodi ji took stock of the contemporary situation regarding #AssamFloods2020, #COVID19 and Baghjan Oil Well fire scenario over phone this morning.
Expressing his concern & solidarity with the people, the PM assured all support to the state.
— Sarbananda Sonowal (@sarbanandsonwal) July 19, 2020
અસમના મુખ્યમંત્રી સોનોવાલે આપી આ જાણકારી
અસમના મુખ્યમંત્રીએ પીએમ મોદીને કહ્યું કે કોરોના સંબંધી સ્થિતિ અને ઓઈલ ઈન્ડિયાના બાગજાન ગેસ કુવામાં આગની જાણકારી આપી, સોનોવાલે ટ્વિટ કર્યું પીએમ મોદીએ આજે સવારે ફોન પર વાત કરીને અસમમાં પૂર, કોરોનાની સ્થિતિ અને બાગજાન ગેસ કુવામાં આગ સંબંધી માહિતી લીધી. પીએમ મોદીએ લોકોની ચિંતા અને સાથે એકતાને વ્યક્ત કરીને શક્ય તમામ મદદનું આશ્વાસન આપ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીએ કહ્યું કે સોનોવાલે લોકોની સામે આવી રહેલી સમસ્યાઓ સામે લડવા રાજ્યમાં અત્યારસુધી લેવાયેલા પગલાંથી પીએમ મોદીને માહિતગાર કર્યા હતા.
પૂર અને જમીન ધસવાથી 27 લાખ લોકો પ્રભાવિત
અસમ રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણે સવારે કહ્યું હતું કે આ વર્ષે પૂર અને જમીન ધસવાના કારણે રાજ્યમાં 107 લોકોના મોત થયા છે. 81 મોત પૂરના કારણે થયા છે. તો 26 લોકો ભૂસ્ખલનના કારણે મૃત્યુ પામ્યા છે. અસમના 33 જિલ્લામાં 26 જિલ્લામાંથી 27 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. અનેક જગ્યાઓએ મકાન, પાક અને સડક તથા પુલ તૂટી ચૂક્યા છે.
અસમમાં કોરોનાના 22981 કેસ
અસમમાં કોરોના વાયરસના 22,981 કેસ નોંધાયા છે. તેમાંથી માત્ર 10,503 કેસ ગુવાહાટી શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કારણે 53 લોકોનાં મોત થયા છે. દરમિયાન, અસમમાં ઓઇલ ઇન્ડિયા લિમિટેડના ક્ષતિગ્રસ્ત બાગજાન ગેસ કૂવામાંથી ગેસ લિક થવાના કારણે છેલ્લા 54 દિવસથી અનિયંત્રિત ગેસ લિકેજ થઈ રહ્યું છે. તેના કારણે અહીં 9 જૂને આગ લાગી હતી.
PM અને પલાની સ્વામીની વાતચીત
PMએ તમિલનાડુમાં કોરોનાને રોકવાના ઉપાયો અને ઉપચાર મુદ્દે મુખ્યમંત્રી પલાની સ્વામી સાથે વાત કરી હતી. રાજ્યમાં મહામારીનો આંક 1.65 લાખને પાર પહોંચ્યો છે. એક માહિતીમાં જાણવા મળ્યું કે મુખ્યમંત્રીએ કહ્યું કે અહીં રોજ 48 000 ટેસ્ટ કરવામાં આવે છે. તેઓએ PMને કહ્યું કે રાજ્યમાં કોરોનાની લડાઈ સામે લડવા ખાસ પગલાંની જરૂર છે. અત્યાર સુધીમાં અહીં 1,65,714 કેસ નોંધાયા છે અને 2403 લોકોના મોત નીપજ્યા છે.