દિલ્હી: આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરશે. આ અભિયાનનો ભાગ બનવા અને સ્વચ્છ ભારત મિશનને સફળ બનાવવા માટે પ્રધાનમંત્રી મોદીને લગભગ 2 હજાર લોકોએ સ્વયં પત્ર લખ્યા છે.
તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ રાજ્યોના રાજ્યપાલ મુખ્યમંત્રી ઉપરાજ્યપાલ અને નાયબ મુખ્યમંત્રીને PM મોદીએ પત્ર લખ્યા છે. આ સાથે સમાજના સન્માનિય વ્યક્તિઓ અને જજો પાસેથી પણ સ્વચ્છ ભારત મિશનને સફળ બનાવવા માટે સહયોગ માગ્યો છે.
ત્યારે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે દેશમાં 90 ટકા લોકોની પાસે હાલ શૌચાલયની સુવિધા ઉપલબ્ધ છે. આ પહેલા માત્ર 40 ટકા લોકો પાસે જ આ સુવિધા હતી.મોદીએ આ આંદોલનને 2 ઓટોબરે મહાત્મા ગાંધીની 150મી જયંતિના અવસરે તેમને સાચી શ્રદ્ધાંજલિ ગણાવી છે.
ઉલ્લેખનીય છે કે આ પત્રમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનની અત્યાર સુધીની સફળતાના આંકડાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સાથે જ તેમણે પત્રમાં લખ્યું છે કે સ્વચ્છ ભારત મિશન હેઠળ છેલ્લા ચાર વર્ષમાં 8.5 કરોડ શૌચાલય ભારતમાં બનાવવામાં આવ્યા છે.
જે બાદ 90% લોકોથી વધારે લોકો ભારતીય શૌચાલયનો ઉપયોગ કરી શકે છે જ્યારે 2014માં માત્ર 40% થી પણ ઓછા લોકો શૌચાલયનો ઉપયોગ કરી શકતા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે 4.25 લાખ ગામ 430 જિલ્લા 2800 શહેર અને 19 રાજ્યો તથા સંઘ શાસિત રાજ્યમાં ખુલ્લામાં શૌચ મુક્ત કરવામાં આવ્યા છે.
આપને જણાવી દઇએ કે ભારતના પ્રધાનમંત્રીએ આ પહેલા એક ટ્વીટ કરીને 15 સપ્ટેમ્બરની સવારે 9.30 કલાકે આપણે બધા એક સાથે આવીશું અને સ્વચ્છતા હી સેવા આંદોલની શરૂઆત કરીશું. તેમણે જણાવ્યું હતું કે હું એવા લોકો સાથે વાતચીત કરવા ઇચ્છુ છું જેમણે સ્વચ્છ ભારત મિશનને મજબૂત કરવા માટે દ્રઢતા પૂર્વક કામ કર્યું.