પીએમ મોદીએ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ નેપાળ સહિત 10 દેશોની સાથે કોવિડ 19 મેનેજમેન્ટઃ એક્સપિરિયન્સ, ગુડ પ્રેક્ટિસેજ એન્ડ વે ફોર્વર્ડ વિષય પર આયોજિત વર્કશોપને સંબોધિત કરી હતી. મોદીએ મહત્વકાંક્ષાને ઉપર ઉઠાવવાનું આહ્વાન કરતા ડોક્ટર અને નર્સોને વિશેષ વીઝા બનાવવાની સલાહ આપી છે. જેની પાછળ પીએમનો તર્ક એ છે કે ઈમરજન્સીની સ્થિતિમાં ડોક્ટર અને નર્સ તાત્કાલીક એવા વિસ્તારોમાં જ્યાં લોકોને તેમની જરુર હોય. પીએમે સંકટકાળમાં સફળ સાર્વજનિક સ્વાસ્થ્ય નીતિઓ અને યોજનાઓને શેર કરવાની સલાહ આપી. તેમણે સૂચન આપ્યું કે અન્ય દેશો માટે ભારતની આયુષ્માન ભારત અન જનઆરોગ્ય યોજનાઓ અઘ્યયન માટે ઉપયોગી થઈ શકે છે.
પીએમે કહ્યું એક બીજાને મદદ કરો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહામારી સામે લડવા ત્તાત્કાલીક ખર્ચને પૂરો કરવા દવા, ઉપકરણો વગેરે સંસાધનોને એક બીજાની સાથે શેર કરવા માટે બનાવવામાં આવેલા કોવિડ 19 ઈમરજન્સી રિસ્પોન્સ ફંડ પર જોર આપ્યું છે. તેમણે કોરોના ટેસ્ટ, સંક્રમણ નિયંત્રણ અને બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટમાં એક બીજાના શ્રેષ્ઠ વ્યવહારોને અનુભવા અને શીખવા પર ચર્ચા કરી.
આ ઉપરાંત ગુરુવારે ભારતના નેતૃત્વમાં સાર્ક દેશોનું વર્ચ્યૂઅલ સમ્મેલન પણ થયુ. આ જ દરમિયાન પીએમએ દ.એશિયાને કોરોના મુક્ત કરવાના આપેલા 5 પ્રસ્તાવોનું તમામ દેશોએ સમર્થન કર્યુ. તેમણે સભ્ય દેશોના નાગરિક ઉડ્ડયન મંત્રાલયોને મેડિકલ ઈમરજન્સી માટે ક્ષેત્રીય એર એમ્બ્યૂલન્સની સમજૂતી પર સમન્વય કરવા સૂચન કર્યુ.
કોરોનામાં આગળ વધવાનો સમય
પીએમ મોદીએ ભવિષ્યમાં મહામારીને રોકવા માટે ટેક્નોલોજી સંચાલિત મહામારી વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા અને એક ક્ષેત્રીય નેટવર્ક બનાવવાની સલાહ આપી. અંતમાં તેમણે પ્રસ્તાવ રાખ્યો કે સાર્ક સભ્યોના કોવિડ 19થી આગળ જઈને પોતાની સફળ જન સ્વાસ્થ્ય નીતિઓ અને યોજનાઓને એક બીજાની સાથે શેર કરવું જોઈએ. તેમણે કહ્યું કે આખરે આપણે અનેક પડકારોને શેર કરીએ છીએ. જળવાયુ પરિવર્તન, પ્રાકૃતિક આફતો, ગરીબી, નિરક્ષરતા અને સામાજિક અને લૈંગિક અસંતુલન પરંતુ અમે સદીઓ જૂની સાંસ્કૃતિક અને લોકોની સાથે લોકોના સંપર્કોની શક્તિઓને પણ શેર કરીએ છીએ. મોદીએ આગળ કહ્યું કે આપણે એ તમામ પર ધ્યાન કેન્દ્રીત કરીએ તો આપણને એકજૂથ કરે છે. તો આપણા વિસ્તારો ન ફક્ત વર્તમાનની મહામારીને દુર કરી શકે છે પરંતુ આપણા અન્ય પડકારોને પણ દુર કરી શકે છે.