પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આયોજિત વેબિનારને સંબોધિત કરી હતી.
સારા સ્વાસ્થ્ય સેક્ટર માટે તમામ ધ્યાન જરૂરી: PM મોદી
કોરોના કાળમાં ભારતે મજબૂતી બતાવીઃ PM મોદી
ભારતને સ્વસ્થ રાખવા માટે 4 મોર્ચા પર કામઃ PM મોદી
આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશે કોરોના વાયરસનો ખુબ જ અડગ રહીને સામનો કર્યો અને આપણે ભવિષ્યની મુશ્કેલીઓ માટે તૈયાર રહેવું જોઇએ. આ સાથે જ તેમણે કહ્યું કે, આ વર્ષના બજેટમાં હેલ્થ સેક્ટરને જેટલું બજેટ ફાળવવામાં આવે છે, તે અભૂતપૂર્વ છે. આ દરેક દેશવાસીઓને સારૂ સ્વાસ્થ્ય સુવિધા આપવા અમારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. જણાવી દઇએ કે આ પહેલા સોમવારે પ્રધાનમંત્રીએ રક્ષા મંત્રાલય દ્વારા આયોજિત વેબિનારને સંબોધતિ કરી હતી.
સારા સ્વાસ્થ્ય સેક્ટર માટે તમામ ધ્યાન જરૂરી
પીએમ મોદીએ કહ્યું કે, મેડિકલ ઇક્વિપમેન્ટથી લઇને મેડિસિન સુધી, વેન્ટિલેટરથી લઇને વેક્સીન સુધી, સાઇન્ટિફિક રિસર્ચથી લઇને સર્વિલાંસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી, ડૉક્ટર્સથી લઇને એપિડેમિયોલૉજિસ્ટ(મહામારી) સુધી. અમે તમામ પર ધ્યાન આપ્યું છે, જેથી દેશ ભવિષ્યમાં કોઇ પણ સ્વાસ્થ્ય સંકટ માટે સારી રીતે તૈયાર રહે.
કોરોના કાળમાં ભારતે મજબૂતી બતાવી
પીએમ મોદીએ કહ્યું કે, કોરોના દરમિયાન ભારતના હેલ્થ સેક્ટરે જે મજબૂતિ બતાવી છે, પોતાના અનુભવ અને પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે. તેમણે દુનિયાને બહુજ બારીકિથી નોટ કર્યું છે. આજે સમગ્ર વિશ્વમાં ભારતના હેલ્થ સેક્ટરની પ્રતિષ્ઠા અને ભારતના હેલ્થ સેક્ટર પર ભરોસો, નવા સ્તર પર છે.
ભારતને સ્વસ્થ રાખવા માટે 4 મોર્ચા પર કામ
પીએમ મોદીએ કહ્યું કે, ભારતને સ્વસ્થ રાખવા માટે અમે 4 મોર્ચા પર એક સાથે કામ કરી રહ્યા છીએ. પહેલો મોર્ચો બીમારીઓને રોકવાનો છે જેથી બીમારી અટકાવવી અને કલ્યાણને વધારો આપવો. બીજા મોર્ચો ગરીબથી ગરીબને સસ્તી અને સારી સારવાર આપવાનો છે. આયુષઅમાન ભારત યોજના અને પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર જેવી યોજનાઓ એજ કામ કરી રહી છે. ત્રીજો મોર્ચો છે, સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે મિશન મોડ પર કામ કરવું. મિશન ઇન્દ્રધનુષનો વિસ્તાર દેશના આદિવાસી અને છેવાડાના વિસ્તારો સુધી કરવામાં આવ્યો છે.
ટીબીને ખતમ કરવા માટે 2025નું લક્ષ્ય
પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશથી ટીબી ખતમ કરવા માટે અમે વર્ષ 2025 સુધીનું લક્ષ્ય રાખ્યું છે. ટીબી પણ સંક્રમિત વ્યક્તિની ડ્રૉપ્લેટથી જ ફેલાય છે. ટીબીને અટકાવવા પણ માસ્ક પહેરવું, તાત્કાલિક સારવાર, ત્રણેય મહત્વના છે.
વધુમાં તેમણે કહ્યું કે, કોરોના કાળમાં આયુષથી જોડાયેલા અમારા નેટવર્કે પણ ખુબ સારૂ કામ કર્યું છે. ન માત્ર માનવ અનુસંધાનને લઇને પરંતુ રોગપ્રતિકારક અને વૈજ્ઞાનિક અનુસંધાનને લઇને પણ અમારા આયુષનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશને બહુ કામ આવ્યો છે.
ટ્રેડિશનલ મેડિસીનના વિશ્વમાં બનાવી જગ્યા
પીએમ મોદીએ કહ્યું કે, ભારતની દવાઓ અને વેક્સિનની સાથો સાથ અમારા મુદ્દાઓનું પણ મોટું યોગદાન છે, આ દુનિયા આજે અનુભવ કરી રહી છે. અમારી ટ્રેડિશનલ મેડિસીને પણ વિશ્વ મન પર એક જગ્યા બનાવી છે. તેમણે કહ્યું કે, દેશને વેલનેસ સેન્ટર, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, ક્રિટિકલ કેર યૂનિટ, હેલ્થ સર્વિલાંસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક લેબ્સ અને ટેલી મેડિસીન જોઇએ. અમે દરેક સ્તરે કામ કરીએ છીએ, દરેક સ્તરનો પ્રોત્સાહન આપવું જોઇએ.