PM મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે મેં મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોં સાથે ફ્રાંસના જંગલોમાં લાગેલ આગ મામલે ભારત તરફથી સહયોગ દર્શાવ્યો છે.
PM મોદી અને મેક્રોં વચ્ચે ટેલિફોનિક વાતચીત
જંગલોમાં લાગેલ આગ મુદ્દે આપ્યું આશ્વાસન
અનેક મુદ્દાઑ પર પરસ્પર સહયોગની ચર્ચા
વિશ્વભરમાં ચાલી રહેલ અનેક સમસ્યાઓ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં વચ્ચે લાંબી ટેલિફોનિક ચર્ચા થઈ છે, આ સિવાયબ ફ્રાંસના જંગલોમાં લાગેલ આગ તથા દુકાળની પરિસ્થિતિ સામે ભારતની મદદને લઈને પણ PM મોદીએ આશ્વાસન આપ્યું છે.
પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આપવામાં આવેલ જાણકારી અનુસાર બંને નેતાઓ વચ્ચે રાજકીય પડકારો તથા પરમાણુ ઉર્જા ( સૈન્ય સિવાય ઉપયોગ માટે ) ને લઈને સહયોગ વધારવા પર ચર્ચા થઈ હતી. આ સિવાય રક્ષા સહયોગ અને તેની પરિયોજનાઓ પર પણ સહયોગની વાત કરવામાં આવી છે.
PM મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે મેં મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોં સાથે ફ્રાંસના જંગલોમાં લાગેલ આગ મામલે ભારત તરફથી સહયોગ દર્શાવ્યો છે. આ સિવાય ભારત અને ફ્રાંસના સહયોગ તથા વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી છે.
PM મોદીએ કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ભારત અને ફ્રાંસ ખાદ્ય સુરક્ષા સબંધિત પડકારોને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી યુરોપના જંગલોમાં આગ લાગેલી છે અને જર્મની, રોમાનિયા સહિત અનેક દેશો આ આગને ઓલવવાના કામમાં લાગેલા છે. તેમ છતાં આગ ધીમે ધીમે આગળ વધી રહી છે અને હજારો હેક્ટર જમીન વેરાન થઈ ગઈ છે, જેના કારણે ગરમી તથા દુકાળથી આખું યુરોપ હાલમાં ત્રાહિમામ ત્રાહિમામ કરી રહ્યું છે.