7 વર્ષોમાં દેશના અનેક જૂના વિવાદો શાંતિથી ઉકેલાયા, પૂર્વોત્તરથી લઈ કાશ્મીર સુધી શાંતિ અને વિકાસનો વિશ્વાસ જાગ્યો
મન કી બાત કાર્યકર્મ અંતર્ગત આજે 77મું સંબોધન કર્યું
કોરોના સંકટ વચ્ચે સામન્ય લોકો આગળ આવી મદદ કરી રહ્યા છે તે વાતને વખાણી
વેક્સિન સેન્ટર પર જઈ લોકો વેક્સિન લે તે વિશે જાગૃતતા લાવવાની જરૂર
મન કી બાત કાર્યકર્મ અંતર્ગત આજે 77મું સંબોધન કર્યું
PM મોદી દર મહિનાના છેલ્લા રવિવારે રેડિયોના માધ્યમથી મન કી બાત કાર્યક્રમ અંતર્ગત દેશને સંબોધન કરે છે. દર વખતની જેમ આજે પણ તેઓ 11 વાગે દેશને સંબોધન કરશે. આ 77માં સંબોધનમાં તેઓ કોરોના મહામારી લીધે દેશ સામે કયા કયા પડકાર છે તે અંગે અને વેકસીનેશન અંગે ચર્ચા કરી. તેમણે કહ્યું કે યાસ વાવાઝોડાને કારણે જે પરિવારના લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તે લોકો સાથે મારી સંવેદનાઓ છે. લોકોએ મજબૂત મનોબળ રાખી દેશ પર આવેલ સંકટ સામે લડાઈ લડી છે. સાથે જે તેમણે કોરોનાની બીજી લહેરના સંદર્ભમાં કહ્યું કે કોરોના વોરિયર્સ ડોક્ટરોએ અને નર્સોએ પોતાની ચિંતા છોડીને લોકોની મદદ કરી છે.
કોરોના સંકટ વચ્ચે સામન્ય લોકો આગળ આવી મદદ કરી રહ્યા છે તે વાતને વખાણી
આ કાર્યકર્મમાં જોનપુરમાં રહેતા દિનેશ ઉપાધ્યાયે PM મોદી સાથે વાત કરી. દિનેશ ઉપાધ્યાય પોતે ઑક્સીજન ટેન્કર ચલાવે છે. આ મહામારીમાં લોકોની મદદ કરતાં તેમણે જે જે અનુભવ્યું તેની ચર્ચા PM મોદી સાથે કરી. સાથે જ પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોનાની આ લડાઈ આપણે સૌ જીતી જઈશું કારણકે દિનેશ ઉપાધ્યાય જેવા લાખો લોકો આ લડાઈમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. સાથે સાથે PM મોદીએ ઑક્સીજન એક્સપ્રેસની કો-પાયલટ શિરીષા સાથે વાત કરી. શિરીષાએ પોતાના અનુભવ વિશે વાત કરતાં કહ્યું કે તે પોતે પોતાના પિતા પાસેથી પ્રેરણા લે છે. PM મોદીએ કહ્યું કે આ મહિલાઓ માટે ઘણી ગર્વની વાત છે કોરોનાની આ લડાઈમાં આપણી માતાઓ અને બહેનો પણ જોડાયેલ છે.
વેક્સિન સેન્ટર પર જઈ લોકો વેક્સિન લે તે વિશે જાગૃતતા લાવવાની જરૂર
આ પહેલા PM મોદીએ 25 એપ્રિલે આ કાર્યકર્મ કર્યો હતો, જેમાં તેમણે ડોકટરો સાથે ચર્ચા કરી હતી. સાથે તેમણે લોકોને કારોના વાયરસ સામે વધુ જાગૃત થવાનું કહ્યું હતું. ત્યારે તેમણે ભાર મૂકતાં કહ્યું કે કોરોના સમયે અફવા ઉપર ધ્યાન ન આપે અને માત્ર ડોકટરો જે સલાહ આપે તેને જ અનુસરે. વેક્સિન અંગે વાત કરતાં તેમણે કહ્યું કે વેક્સિન કેટલી જરૂરી છે તે માટે જાગૃતતા લાવો, લોકો વેક્સિન સેન્ટર પર જઈ વેક્સિન લગાવે તેવો ભાર મૂક્યો હતો.