બંધારણ દિવસના અવસર પર કેવડીયામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેને પીએમ મોદીએ વીડિયો કોન્ફ્રેસિંગના માધ્યમથી સંબોધિત કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ મુંબઈ હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે અમે આ ઘા ક્યારેય ભૂલી નહીં શકીએ. આ સિવાય પીએમ મોદીએ વન નેશન વન ઈલેકશન પર દેશને ધ્યાન દોર્યું
થોડા થોડા મહિનામાં ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ થતી જ હોય છે : પીએમ મોદી
આજનું ભારત નવી નીતિ-રીતી સાથે આતંકવાદનો સામનો કરી રહ્યું છે : પીએમ મોદી
ભારતને વન નેશન, વન ઈલેકશનની જરુરાત : પીએમ મોદી
મુંબઈ હુમલા પર પીએમ મોદીનું નિવેદન
મુંબઈ હુમલા પર પીએમ મોદીએ કહ્યું કે 2008માં પાકિસ્તાનથી આતંકવાદીઓ આવ્યા અને મુંબઈ પર હુમલો કરી દીધો, આ હુમલામાં કેટલાય લોકોના જીવ જતા રહ્યા. આજનું ભારત નવી નીતિ-રીતી સાથે આતંકવાદનો સામનો કરી રહ્યું છે.
This day in 2008, terrorists from Pakistan attacked Mumbai. Many including foreign citizens, policemen died. I pay tributes to them. India can't forget those wounds. Today India is fighting terrorism with new policies. I also bow down to our security personnel fighting terror: PM pic.twitter.com/b1WKXhJZxo
પીએમ મોદીએ કહ્યું કે વન નેશન, વન ઈલેકશન આજે ભારતની જરૂર છે અને દેશમાં થોડા થોડા મહિનામાં ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ થતી જ હોય છે, આના પર મંથન થવું જોઈએ.
One nation, one election isn't just a matter of debate, this is the need for India. Elections are held at different places every few months, the effect it has on development work is known to all. This issue needs to be studied & presiding officers can be guiding force for it: PM pic.twitter.com/rKAcrG9MKQ
બંધારણ દિવસ પર પીએમ મોદીએ કહ્યું કે બંધારણની રક્ષામાં ન્યાયપાલિકાની ખૂબ મોટી ભૂમિકા રહી છે. 70ના દાયકામાં તેને ભંગ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ બંધારણે તેનો જવાબ આપ્યો. ઈમરજન્સીનાં કાળ બાદ સિસ્ટમ મજબૂત થતી ગઈ અને તેમાંથી આપણે શીખવું જોઈએ.
બંધારણ દિવસ પર પીએમ મોદીએ કહ્યું કે કોરોનાકાળમાં દેશનાં લોકોને બંધારણ વિશ્વાસ છે અને તે કારણે તેમણે સમર્થન કર્યું. સંસદમાં આ વખતે સીમિત સમયમાં વધારે કામ થયું છે અને સાંસદોની સેલેરીમાં કાપ મૂકવામાં આવ્યો છે. કોરોનાકાળમાં પણ દેશમાં ચૂંટણી થઇ અને નિયમો અનુસાર સરકાર બની ગઈ જે બંધારણની તાકાત છે.