લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા કરતું સંબોધન કર્યું હતું. ધન્યવાદ પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીએ ઉદબોધનની શરૂઆત દેશની જનતાને ધન્યવાદ આપીને કરી હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિએ ન્યૂ ઈન્ડિયાની વાત કરી, સુરક્ષિત, સમૃદ્ધ અને સમાવેશી રાષ્ટ્રનો સંકલ્પ કર્યો છે. દેશની આશાઓ પૂરી કરવામાં આવતા અવરોધોને મળીને પાર કરીશું તેવો વિશ્વાસ પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યો હતો.
PM Modi: Hum kisi ki lakeer chhoti karne mein apna samay barbaad nahi karte hain, hum humari lakeer lambi karne mein zindagi khapa denge. Aap ki unchai aapko mubarak ho. Aap itna uncha chale gaye hain ki zameen dikhni band ho gayi hai, jaddon se ukhad gaye hain. pic.twitter.com/yxUuAPGADm
તેમણે કહ્યું કે, 2014માં એક પ્રયોગ તરીકે દેશની જનતાએ અમને તક આપી હતી ત્યારે 2019નો જનાદેશ સરકારના તમામ કાર્યોને પારખીને આપવામાં આવ્યો છે. જનતાએ પહેલા કરતા પણ વધારે શક્તિ અમને આપી છે.
PM Modi in Lok Sabha: Who did it? Who did it? was being asked by some people during the debate. Today is 25th June. Who imposed the Emergency? We can't forget those dark days. pic.twitter.com/vLQLg96QD0
આ માત્ર જીતના આંકડાઓનો ખેલ નથી જનતાએ અમને તમામ કસોટીઓ વચ્ચે પારખ્યા છે. પ્રધાનમંત્રીએ સંબોધનમાં પોતાની સરકાર વિશે વાત કરતા કહ્યું કે, મારી સરકાર ગરીબોને સમર્પિત છે.
જનતા માટે જીવવું એ અમારૂ સમર્પણ છે
PM મોદીએ વધુમાં કહ્યું હતું કે, કોણ જીત્યુ અને કોણ હાર્યુ એ મારી વિચારધારા નથી. અમારી વિચારધારા કોઇની રેખાઓ ભૂંસવાની નથી પરંતુ અમારી વિચારધારા અમારી રેખાઓને આગળ લઇ જવાની છે. હું હંમેશા દેશની ભલાઈ માટે વિચારૂ છુ, જનતા માટે જીવવું એ અમારૂ સમર્પણ છે. કેટલાક લોકો એટલી ઉંચાઇ પર પહોંચી ગયા છે કે તેમને નીચેની ચીજ વસ્તુઓ દેખાતી નથી. તમારી ઉંચાઇ તમને મુબારક છે. અમારે એટલી ઉંચાઇ પર નથી પહોંચવું બસ અમારે મૂળ સાથે જોડાઇ રહેવું છે.
ગુજરાતનો સંબોધન દરમિયાન કર્યો ઉલ્લેખ
PM Modi: Today, when we talk about water resources, I remember Dr. Babasaheb Ambedkar. It was he who worked passionately on waterways and irrigation https://t.co/KiLiQIWBKL
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં પોતાના ગુજરાતમાં મુખ્યમંત્રી પદના કાર્યકાળનો પણ ઉલ્લેખ કર્યો હતો, તેમણે કહ્યું કે, હું જ્યારે ગુજરાતમાં હતો ત્યારે ગુજરાતને સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થતાં હતા, મેં સરકારને કહ્યું કે, ગુજરાતના 50 વર્ષ દરમિયાનના રાજ્યપાલના સંબોધનનો એક ગ્રંથ તૈયાર કરવામાં આવે. જે આજે પણ ગુજરાત પાસે છે.
કટોકટીનો કર્યો ઉલ્લેખ
PM Modi in Lok Sabha: Sardar Sarovar Dam was the brainchild of Sardar Patel. But, work on this dam was constantly delayed. As Chief Minister of Gujarat, I had to sit on a fast for this project. After NDA came to power, the work speed increased and it is benefiting many people pic.twitter.com/OLkSIv3OY3
પ્રધાનમંત્રી મોદીએ 25 જૂનની રાતને યાદ કરીને કટોકટી પર આડકતરી રીતે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કેટલાકને તો એ પણ નહીં ખબર હોય કે, આજે શું ઘટના બની હતી, આજુબાજુ વાળાને પૂછવું પડશે. તેમણે કહ્યું કે, આજની રાતે દેશની આત્મને કુચળવામાં આવી હતી, દેશના મીડિયા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને દિગ્ગજોને જેલમાં ભરવામાં આવ્યા હતા. ભારત દેશને જેલખાનામાં પરિવર્તીત કરવામાં આવ્યો હતો. આવો દિવસ ફરી ક્યારેય ન આવે તેવી પ્રાર્થના કરું છું.
હિન્દી કવિ દેવેન્દ્ર શર્માની પંક્તિનો કર્યો ઉલ્લેખ
PM Narendra Modi in Lok Sabha: Jab iraada kar liya hai oonchi udaan ka, ,tab fizool hai dekhna kad aasman ka. pic.twitter.com/MaAY1tTfEc
પ્રધાનમંત્રીએ કહ્યું કે, હું ટૂંકુ વિચારી શકતો જ નથી કારણ કે, દેશની 125 કરોડ જનતાનો સવાલ છે, આ સાથે જ તેમણે શાયરાના અંદાજમાં હિન્દી સાહિત્ય જગતના કવિ દેવેન્દ્ર શર્માના એક કવિતાની પંક્તિ બોલતા કહ્યું કે, જબ હોંસલા બના લીયા ઊંચી ઉડાન કા, ફિર દેખના ફિઝુલ હે કદ આસમાન કા.