અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનાં શતાબ્દી વર્ષ સમારોહમાં આજે પીએમ મોદી સંબોધન કર્યું હતું. પીએમ મોદી ભારતના ત્રીજા એવા પીએમ છે જે AMUમાં સંબોધન જેમણે AMUમાં સંબોધન કર્યું. આ પહેલા લાલબહાદુર શાસ્ત્રી આ યુનિવર્સિટીમાં ગયા હતા.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પીએમ મોદીનું સંબોધન
શતાબ્દી વર્ષ સમારોહ મનાવી રહી છે AMU
વિશેષ ટપાલ ટિકિટ પણ જાહેર કરાઈ
56 વર્ષ બાદ વડાપ્રધાન દ્વારા AMUમાં સંબોધન
પીએમ મોદીએ AMUના કર્યા વખાણ
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે AMUની દીવાલોમાં દેશનો ઈતિહાસ છે અને અહિયાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દુનિયામાં દેશનું નામ રોશન કરી રહ્યા છે. અહિયાંથી ભણેલા વિદ્યાર્થીઓ સાથે ઘણીવાર મુલાકાત થઇ છે અને આ વિદ્યાર્થીઓ હંમેશા શેર-ઓ-શાયરીમાં ખોવાયેલા રહે છે.
સબકા સાથ સબકા વિકાસ છે સૌથી મોટો મંત્ર : મોદી
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે સર સૈયદનો સંદેશ કહે છે કે બધાની સેવા કરવામાં આવે, પછી ભલે તે કોઈ પણ ધર્મનો હોય. એવામાં દેશની સમૃદ્ધિ માટે તેનો વિકાસ થવો જરૂરી છે. આજે દરેક નાગરિકને કોઈ પણ ભેદભાવ વગર વિકાસનો લાભ મળી રહ્યો છે. નાગરિકૉ બંધારણથી મળેલા અધિકારીઓને લઈને નિશ્ચિત રહે કારણ કે સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસએ સૌથી મોટો મંત્ર છે.
વિધાર્થીઓને પીએમ મોદીએ આપ્યા ટાસ્ક
પીએમ મોદીએ કહ્યું કે AMUના 100 વર્ષ પૂર્ણ થયા છે તો એવામાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ રિસર્ચ કરે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર એવા સ્વતંત્રતા સેનાનીઓ પર રિસર્ચ કરવામાં આવે જેમને હજુ સુધી ખૂબ ઓછા લોકો જાણે છે. વિદ્યાર્થીઓ 75 આદિવાસી સ્વતંત્રતા સેનાની, 25 મહિલા સેનાની વિશે જાણકારી એક્ઠી કરે.
મતભેદો બાજુમાં મુકવા અપીલ
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે સમાજમાં વૈચારિક મતભેદ થાય છે પણ જ્યારે રાષ્ટ્રના લક્ષ્યની પ્રાપ્તિની વાત આવે તો બધા જ મતભેદ બાજુમાં મૂકી દેવા જોઈએ. દેશમાં કોઈ પણ જાતી કે ધર્મના લોકો હોય તેમણે દેશને આત્મનિર્ભર બનાવવા માટે યોગદાન આપવું જોઈએ.
AMUમાં મીની ઇન્ડિયા : પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે AMU તરફથી થોડા દિવસ પહેલા કોરોના વેક્સિન પર દરેક મદદ માટે એક પત્ર આપવામાં આવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે AMUમાં એક મીની ઇન્ડિયા છે જ્યાં હિન્દી-ઉર્દુ-અરબી-સંસ્કૃતનું જ્ઞાન આપવામાં આવે છે.
જે દેશનું છે તે દેશના દરેક નાગરિકનું છે : પીએમ મોદી
मुझे बहुत से लोग बोलते हैं कि एएमयू कैंपस अपने आप में एक शहर की तरह है।
अनेक विभाग, दर्जनों हॉस्टल, हजारों टीचर-छात्रों के बीच एक मिनी इंडिया नजर आता है।
यहां एक तरफ उर्दू पढ़ाई जाती है, तो हिंदी भी। अरबी पढ़ाई जाती है तो संस्कृति की शिक्षा भी दी जाती है।
કોરોનાકાળમાં ઓનલાઈન માધ્યમથી સંબોધન
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનાં શતાબ્દી વર્ષ સમારોહમાં આજે પીએમ મોદી મુખ્ય અતિથીના રૂપમાં ઉપસ્થિત રહ્યા અને સંબોધન કર્યું. કોરોના વાયરસ સંકટના કારણે આ સંબોધન વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ નિશંક પણ હાજર રહ્યા છે.
કેમ ઐતિહાસિક છે અવસર
નોંધનીય છે કે 56 વર્ષ બાદ પહેલીવાર આવો અવસર આવ્યો છે જ્યારે ભારતના પીએમ દ્વારા આ યુનિવર્સિટીમાં પીએમનું સંબોધન થયું હોય. આ પહેલા વર્ષ 1964માં તે સમયના પીએમ લાલ બહાદુર શાસ્ત્રી AMU આવ્યા હતા અને દીક્ષાંત સમારોહમાં કર્યું હતું સંબોધન.
AMU દ્વારા ખાસ તૈયારીઓ કરાઈ
પીએમ મોદીના સંબોધનને ધ્યાનમાં રાખીને AMU દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. AMUએ આધિકારિક નિવેદનમાં અવસરને ઐતિહાસિક ગણાવ્યો છે અને અવસરને યાદગાર બનાવવા માટે પીએમ મોદીએ ખાસ ટપાલ ટિકિટ પણ આજે જાહેર કરી.