ગુરુપૂર્ણિમાના પાવન પર્વ પર પીએમ મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ આપી હતી. આ સાથે તેઓએ પૂર્ણિમા- ધમ્મચક્ર દિવસ કાર્યક્રમમાં પણ સંબોધન કર્યું.
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ પર પીએમ મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ આપી
આજના દિવસે ભગવાન બુદ્ધે પહેલું જ્ઞાન સંસારને આપ્યું હતુંઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે તમને સૌને ધમ્મચક્ર પ્રવર્તન દિવસ અને અષાઢ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આપણે ગુરુપૂર્ણિમા પણ મનાવીએ છીએ અને આજના દિવસે ભગવાન બુદ્ધને બુદ્ધત્વની પ્રાપ્તિ થયા બાદ તેમનું પહેલું જ્ઞાન સંસારને આપ્યું હતું.
In Sarnath, Lord Buddha told us the source of the entire life. He told us about sorrow & its reasons. He assured us that one can win against sorrows, he even told us the way to do so. He gave us eight mantras for life: PM Modi speaks at Ashadha Purnima-Dhamma Chakra Day programme pic.twitter.com/mqrSCb2Pd4
બુધ્ધના માર્ગે ચાલીને જ મોટી ચેલેન્જનો સામને કરી શકાય છે તે ભારતે દેખાડ્યું
પીએમ મોદીએ કહ્યું આજે કોરોના મહામારીના રૂપમાં માનવતાની સામે એવું સંકટ છે જ્યારે ભગવાન બુદ્ધ આપણી સામે વધારે પ્રાસંગિક બને છે.બુદ્ધના માર્ગ પર ચાલીને મોટી ચેલેન્જનો સામનો કરી શકાય છે. ભારતે આ કરીને દેખાડ્યું છે.બુદ્ધા સમ્યક વિચારને લીને આજે દુનિયાના દેશ પણ એકમેકનો હાથ પકડી રહ્યા છે અને એકમેકની તાકાત બની રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે સારનાથમાં ભગવાન બુદ્ધા જીવન, જ્ઞાનના સૂત્રમાં કહેવાયું છે કે તેઓએ દુઃખ અને દુઃખના કારણો જણાવ્યા છે. આશ્વાસન આપ્યું કે દુઃખને જીતી શકાય છે અને જીતનો રસ્તો પણ બતાવ્યો છે.
Humanity faces a crisis today in form of COVID, Lord Buddha has become even more relevant. India has shown how we can face greatest of challenges by walking on his path. Countries are joining hands with each other & becoming each other's strength, taking the values of Buddha: PM pic.twitter.com/hWOIdHgcon
ગુરુપૂર્ણિમા અષાઢ માસની પૂર્ણિમાએ ઉજવાય છે. આ દિવસે ગોવર્ધન પર્વતની લાખો શ્રદ્ધાળુઓ પરિક્રમા કરે છે.બંગાળી સાધુઓ માથું મુંડાવે છે અને પરિક્રમા કરે છે. વ્રજમાં મુડિયા પૂનોના નામે ઓળખવામાં આવે છે. આ દિવસે ગુરુની પૂજા કરાય છે. આખા ભારતમાં આ તહેવાર શ્રદ્ધા સાથે ઉજવાય છે. આમ તો વ્યાસના નામે અનેક વિદ્રાન છે પણ વ્યાસ ઋષિ ચારે વેદના પ્રથમ વ્યાખ્યાતા હતા. આજના દિવસે તેમની પૂજા કરાય છે.