વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 કલાક પહેલા ટ્વીટ કરીને સોશિયલ મીડિયા છોડવાની વાત કરી હતી. વિપક્ષ સહિતના તેમના વિરોધીઓએ તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યું હતુ. ત્યારે કેટલાક લોકોએ તેને મોદીની સ્ટ્રેટેજી ગણાવી હતી. ત્યારે ટ્વીટ કરી મહિલા દિવસને લઈને એક નવું હેશટેગ આપ્યું છે. અને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટની કમાન મહિલાનો સોંપી છે.
PM મહિલાઓને અકાઉન્ટ સમર્પિત કરશે
PMએ #shelnspiresUs હેશટેગ રન કર્યુ
PMએ ટ્વીટ કરી કહ્યું કે તે સોશિયલ મીડિયા નથી છોડી રહ્યા
PM મોદીએ શું ટ્વીટ કર્યુ
આ મહિલા દિવસ પર હું મારા સોશિયલ મીડિયા અકાઉન્ટની કમાન એ મહિલાઓને આપીશ જેમની જિંદગી અને કામ અમને પ્રેરિત કરે છે. આનાથી લાખો લોકોને પ્રેરણા મળશે. શું તમે એવી મહિલા છો, કે એવી મહિલાને જાણો છો, જેમની કહાની અમારી સાથે #shelnspiresUs સાથે શેર કરો.
This Women's Day, I will give away my social media accounts to women whose life & work inspire us. This will help them ignite motivation in millions.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા છોડવા અંગેની વાત કરી હતી. જે મામલે PM મોદીએ વધુ એક ટ્વીટ કર્યું છે. તેમજ સોશિયલ મીડિયા ન છોડવાની વાત કરી છે. PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે મહિલા દિવસ પર હું મારું અકાઉન્ટ ખાસ મહિલાઓેને સમર્પિત કરશે. જેમણે અલગ અલગ ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું હોય તેવી મહિલાઓને અકાઉન્ટ સમર્પિત કરશે.
આનાથી લાખો લોકોને પ્રેરણા મળશે
એક દિવસ માટે સોશિયલ મીડિયા અકાઉન્ટ સોંપશે. ટ્વીટમાં PM મોદીએ લખ્યું કે આ મહિલા દિવસ પર હું મારા સોશિયલ મીડિયા અકાઉન્ટની કમાન એ મહિલાઓને આપીશ જેમની જિંદગી અને કામ અમને પ્રેરિત કરે છે. આનાથી લાખો લોકોને પ્રેરણા મળશે.
પોતે ટ્વીટ કરીને તેનો અંત લાવી દીધો છે
This Sunday, thinking of giving up my social media accounts on Facebook, Twitter, Instagram & YouTube. Will keep you all posted.
શું તમે એવી મહિલા છો? તો તેમની કહાની અમારી સાથે #shelnspiresUs સાથે શેર કરો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે PM મોદીએ સોશિયલ મીડિયા છોડવાની વાત કરી હતી. જે બાદ ચર્ચાઓનું જોર વધી ગયું હતું. PM નરેન્દ્ર મોદી શું વિચારી રહ્યા છે. શા માટે સોશિયલ મીડિયા અકાઉન્ટ છોડી રહ્યા છે તે મામલે ચર્ચાનો મારો ચાલી રહ્યો હતો. જોકે હવે આ ચર્ચાઓનો અંત આવ્યો છે. કેમ કે PM મોદીએ પોતે ટ્વીટ કરીને તેનો અંત લાવી દીધો છે.