પ્રયાગરાજઃ ત્રણ વિધાનસભામાં ભાજપની મોટી હાર બાદ પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદીએ રવિવારે પહેલીવાર બે જનસભાઓ સંબોધી હતી. પીએમની પ્રથમ સભા રાયબરેલીમાં હતી તો બીજી રેલી તેમણે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કરી. પ્રધાનમંત્રીએ કોંગ્રેસ નેતા સોનિયાગાંધીના સંસદીય ક્ષેત્ર મૉર્ડન રેલ ફેક્ટરી દ્વારા નિર્મિત 900માં કોચ અને હમસફર રેકને લીલીઝંડી બતાવીને રવાના કરી. ત્યારે પ્રયાગરાજમાં પીએમ મોદીએ કુંભ આયોજનથી જોડાયેલ કાર્યોનું નિરીક્ષણ કર્યું અને લોકાર્પણ કર્યું. સંગમ તટે વૈદિક મંત્રોચ્ચાર સાથે મોદીએ ગંગા આરતી કરી હતી. તેમણે કુંભમાં કંટ્રોલ એન્ડ કમાન્ડર સેન્ટરનું પણ ઉદ્ધાટન કર્યું.
સેનાને નબળી કરનારાઓની સાથે કોંગ્રેસ
ત્યારબાદ પીએમ મોદી કોંગ્રેસ નેતૃત્વ પર વરસ્યા. પીએમ મોદીએ કોંગ્રેસ પર સેનાને કમજોર કરવાની નીતિ રાખનાર લોકોની મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો. મોદીએ કહ્યું કે આજે દેશમાં બે જૂથ છે. એક સરકારનું જે આપણી સેનાની તાકાત વધારવા માટે પ્રયત્નશીલ છે. બીજુ ગ્રુપ જે કીમત પર આપણી સેનાને કમજોર કરવા માંગે છે. તેમણે કહ્યું કે દેશ સાક્ષી છે કે કોંગ્રેસ તે તાકાતો સાથે ઉભી છે જેઓ આપણી સેનાને મજબૂત થવા દેવા નથી માંગતા.
....પાકિસ્તાનના લોકો તાળીઓ બજાવે
પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશ આ પ્રકારના લોકોને જોઇ રહ્યો છે. જેણે ભારત વિરૂદ્ધ કામ કરી રહેલ દેશોથી સમર્થન મળી રહ્યું છે. તેમણે કહ્યું કે શું કારણ છે કે જ્યારે આપણા કેટલાક નેતા બોલે છે તો પાકિસ્તાનના લોકો તાળીઓ બજાવે છે.
પ્રધાનમંત્રીએ રાફેલ કરારને લઇને કહ્યું કે રક્ષા મંત્રાલયની ગરિમા રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ વાયુ સેના ફ્રાંસ અને ઉચ્ચ કોર્ટ પર સવાલ ઉઠાવવાને લઇને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું કે કેટલાક લોકો માત્ર ખોટુ સ્વીકારે છે અને ખોટુ બોલે છે. તેમના માટે દેશનું રક્ષા મંત્રાલય રક્ષા મંત્રી વાયુ સેના અધિકારી ખોટા છે. ફ્રાંસ સરકાર પણ ખોટી છે. હવે દેશની સર્વોચ્ચ કોર્ટને પણ ખોટી ગણાવી રહ્યા છે.
જૂઠઇ લેના જૂઠઇ દેના જૂઠઇ ભોજન જૂઠઇ ચબેના
પીએમ મોદીએ કહ્યું કે રામચરિત માનસમાં એક ચોપાઇ છે ગોસ્વામી તુલસીદાસજીએ લખી છે કે ભગવાન રામ કોઇનું વ્યક્તિત્વ સમજાવતા કહે છે જૂઠઇ લેના જૂઠઇ દેના જૂઠઇ ભોજન જૂઠઇ ચબેના. એટલે કેટલાક લોકો ખોટુ જ સ્વીકારે છે ખોટુ જ બીજાને આપે છે ખોટુ જ ભોજન કરે છે અને ખોટુ જ ચાવે છે.