ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે, એવામાં સરકારની સાથે સાથે બોલિવુડ તથા સ્પોર્ટ્સ સેલેબ્સ પણ જાગરૂક્તા ફેલાવવાનું કામ કરી રહ્યા છે.
તાજેતરમાં જ ફિલ્મ 'પ્યાર કા પંચમાના' તથા 'સોનુ કી ટીટુ કી સ્વીટી' નો એક્ટર કાર્તિકનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબજ શૅર કરવામાં આવી રહ્યો છે, જેમાં તે ઘરમાં રહેવાની સફાઇ રાખવાની સલાહ આપી રહ્યો છે.
કાર્તિક આર્યનનો આ મોનોલોગ સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થયો છે. અન્ય સેલેબ્રિટીઝે પણ કાર્તિકના આ વીડિયોને શેર કર્યો છે. એટલું જ નહીં ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કાર્તિકનો આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.
PM નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, ‘યંગ એક્ટર્સ કંઈક કહી રહ્યા છે.. આ સમય છે ‘ઝ્યાદા સાવધાન’ અને ‘કોરોના કા પંચનામા’ કરવાનો ’ તેમણે કાર્તિકના વીડિયો સાથે આયુષ્માન ખુરાના, સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવનના ટ્વીટ પણ શેર કર્યા હતા.
કાર્તિક આર્યને આ વીડિયો સોશિયલ મીડિયા પર 19 માર્ચના શેર કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર તેના આ વીડિયોને 9.9 મિલિયનથી પણ વધુ લોકોએ જોઈ લીધો છે જ્યારે ટ્વિટર પર 1.2 મિલિયનથી પણ વધુ લોકોએ વીડિયો જોયો છે. કાર્તિક આર્યને વીડિયો શેર કરી લખ્યું હતું કે, મારી અપીલ મારી સ્ટાઇલમાં. લોકોથી દૂર રહીએ એ જ એકમાત્ર ઉપાય છે.
જનતા કર્ફ્યૂથી દેશહિતનો સંકલ્પ
મોદીએ કહ્યું, ‘‘આ રવિવારે 22 માર્ચના સવારે સાત વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી દરેક દેશવાસીઓને જનતા કર્ફ્યૂનો પાલન કરવો છે. તે દરમિયાન કોઇ પણ નાગરિક ઘરથી બહાર ન નિકળે. સોસાયટી કે રસ્તામાં ક્યાંય ન જાય. જરૂરી સેવાથી જોડાયેલા લોકોને તો જવું જ પડશે કારણ કે તેમની ફરજ હોય છે. 22 માર્ચના આપણો આ પ્રયાસ દેશહિતમાં એક મજબૂત પ્રયાસ સાબિત થશે.