તસવીરમાં એક અન્ય નર્સ રોસમ્મા અનિલ પણ દેખાઈ રહી છે
#WATCH: Prime Minister Narendra Modi took his first dose of the #COVID19 vaccine at AIIMS Delhi today. He was administered Bharat Biotech's COVAXIN. pic.twitter.com/VqqBYZDTFU
પીએમ મોદીએ સોમવારે એમ્સમાં કોવિડ 19ની રસીનો પહેલો ડોઝ લીધો અને તે તમામ લોકોને રસી લગાવવા માટે અપીલ કરી જે બીજા ચરણના અભિયાન હેઠળની યોગ્યતા ધરાવે છે. તેમણે પોન્ડિચેરીની રહેવાસી સિસ્ટર પી નિવેદાએ ભારત બાયોટેકની કોવૈક્સીન લગાવી આ બાદ પીએમ મોદીએ સિસ્ટર નિવેદાને કહ્યું, ‘લગા ભી દી, પતા ભી નહીં ચલા.’
બીજો ડોઝ 28 દિવસ પછી આપવામાં આવશે
પીએમ મોદીએ કોરોનાની રસી લગાવનારી સિસ્ટર નિવેદાએ મીડિયાને કહ્યું, સર (પીએમ મોદી)ને ભારત બાયોટેકની કોવૈક્સીન લગાવવામાં આવી છે. તેમને બીજો ડોઝ 28 દિવસ પછી આપવામાં આવશે. તેમણે અમને પૂછ્યું કે હું ક્યાંની રહેવાસી છું અને રસીકરણ બાદ તેમણે કહ્યુ કે, ‘લગા ભી દી, પતા ભી નહીં ચલા.’
ત્યારે પીએમ મોદીએ રસીની જાણકારી આપતા ટ્વીટ કરી. તેમણે કહ્યું કે, મે એમ્સમાં કોવિડ 19ની રસીનો પહેલો ડોઝ લીધો’ તેમણે કહ્યું, આ પ્રશંસનીય છે કે કેવી રીતે આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કોરોનાની વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજબૂત કરવા માટે ત્વરિત સમયમાં કામ કર્યુ છે. હું તે તમામને અપીલ કરુ છું કે જે રસી લેવા માટે યોગ્ય છે તેઓ લે. સાથે ભારતને કોરોના મુક્ત બનાવે.
એક અન્ય નર્સ રોસમ્મા અનિલ પણ દેખાઈ રહી છે
પીએમ મોદીએ ટ્વીટની સાથે રસી લગાવનારી પોતાની એક તસવીર પર શેર કરી. જેમાં તે અસમિયા ગમછા પહેરેલી જોવા મળી છે અને હસ્તા ચહેરે રસી લગાવી રહી છે. તેની સાથે આ તસવીરને સિસ્ટર નિવેદા ઉપરાંત કેરળની રહેવાસી એક અન્ય નર્સ રોસમ્મા અનિલ પણ દેખાઈ રહી છે.