ભ્રષ્ટાચારમાં વ્યાપ્ત કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને છોડાશે નહીં
31 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી ઉજવાશે વિજિલન્સ અવેરનેસ વીક
31 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વિજિલન્સ અવેરનેસ વીક પર પોતાના સંદેશમાં મોદીએ એક કડક સંદેશ આપતા કહ્યું કે
ભ્રષ્ટાચાર સામાન્ય નાગરિકને માત્ર અધિકારોથી વંચિત નથી રાખતો પરંતુ તેની સામૂહિક શક્તિને અસર કરવા ઉપરાંત દેશની પ્રગતિમાં પણ અવરોધ ઊભો કરે છે તેથી ભ્રષ્ટાચારમાં રાચત કોઈ વ્યક્તિ કે સંસ્થાને છોડવામાં નહીં આવે.
ભ્રષ્ટાચારના મૂળ પર હુમલો કરવો જરુરી-પીએમ મોદી
સંસ્કૃતમાં એક કહેવતને ટાંકીને મોદીએ કહ્યું હતું કે, જે સંજોગોને કારણે ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો છે તેના પર હુમલો કરવો જરૂરી છે. આ આઠ વર્ષમાં દેશ ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને આગળ વધી રહ્યો છે, જ્યાં સંદેશ સ્પષ્ટ છે કે ભ્રષ્ટાચારમાં રાચનાર કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને છોડવામાં નહીં આવે. આ રીતે દેશમાં વિશ્વાસનું વાતાવરણ ઉભું થયું છે જેમાં દરેક પ્રામાણિક વ્યક્તિ આજે પોતાના પર ગર્વ અનુભવે છે, તેમણે ઉમેર્યું હતું કે, ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખાડવા માટે સમગ્ર પ્રક્રિયા અને સમગ્ર વ્યવસ્થા પારદર્શક બનાવવામાં આવી રહી છે.
PM Narendra Modi says no person or institution indulging in corruption will be spared
ભવિષ્યમાં ભ્રષ્ટાચારને અવકાશ ન રહે તેવી સિસ્ટમ
પીએમ મોદીએ કહ્યું કે ટેકનોલોજી અને સુધારા દ્વારા સિસ્ટમને મજબૂત કરવામાં આવી રહી છે જેથી આજે જ નહીં પરંતુ ભવિષ્યમાં પણ કોઈ પણ સ્તરે ભ્રષ્ટાચારને અવકાશ ન રહે અને નાગરિકોના હિતની રક્ષા થાય. મોદીએ કહ્યું કે દેશની આઝાદીના આગામી 25 વર્ષની યાત્રામાં ભવ્ય અને વિકસિત ભારતનું નિર્માણ કરવું એ બધાની ફરજ છે. તેમણે કહ્યું હતું કે, મજબૂત અને આત્મનિર્ભર ભારતનાં નિર્માણનાં પ્રયાસોને વેગ આપવાની આ તક છે.વડા પ્રધાને જણાવ્યું હતું કે, "મને ખાતરી છે કે તકેદારી જાગૃતિ સપ્તાહ જીવનમાં પ્રામાણિકતા, અખંડિતતા અને પારદર્શિતાને પ્રોત્સાહન આપીને રાષ્ટ્ર નિર્માણ માટેના આપણા સંકલ્પને મજબૂત બનાવશે."
31 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી સેન્ટ્રલ વિજિલન્સ કમિશન વીકની ઉજવણી
ઉલ્લેખનીય છે કે દર વર્ષના 31 ઓક્ટોબરથી નવેમ્બર સુધી સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની ઉજવણી કરાઈ રહી છે. આ વર્ષે પણ 31 ઓક્ટોબરથી આ વીકની ઉજવણી થઈ રહી છે અને તેની થીમ "વિકસિત રાષ્ટ્ર માટે ભ્રષ્ટાચાર મુક્ત ભારત" છે.