કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશન પર પીએમ મોદીએ બોલાવી હાઈ લેવલ મીટિંગ
અધિકારીઓએ ઘટતા પોઝિટિવીટી રેટ અને વધી રહેલા રિકવરી રેટ અંગે જણાવ્યું
પીએમ મોદીએ કહ્યું, સ્થાનિક સ્તરે કન્ટેનમેન્ટ રણનીતિ બનાવો
ગ્રામીણ વિસ્તારોમાં દેખરેખ પર ધ્યાન આપવાનો અધિકારીઓને આપ્યો આદેશ
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે સ્થાનિક સ્તરે કન્ટેનમેન્ટ રણનીતિઓથી કોવિડ-19 ની સંક્રમણની ચેઈન તોડી શકાય છે. તેમણે કહ્યું કે જે રાજ્યોના જિલ્લામાં પોઝિટિવીટી રેટ વધારે છે ત્યાં કન્ટેનમેન્ટ રણનીતિઓ દ્વારા કોરોનાની ચેઈન તોડી શકાય છે. મીટિંગમાં પ્રધાનમંત્રીએ હાઈ ગામડાઓમાં ડોર ટુ ડોર ટેસ્ટિંગ અને સર્વેલન્સ પર વધારે ધ્યાન આપવાનું જણાવ્યું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે RT-PCR અને રેપિડ ટેસ્ટ દ્વારા ટેસ્ટિંગમાં ઝડપ લાવી શકાય છે. પ્રધાનમંત્રીએ અધિકારીઓને જણાવ્યું કે રાજ્યોને કોઈ પણ પ્રકારના દબાણ વગર મહામારીના સાચા આંકડા બહાર પાડવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્ય સુવિધાઓને સારી બનાવવાની જરુર છે અને ત્યાં ડોર ટુ ડોર ટેસ્ટિંગ અને સર્વલન્સ પર વધારે ધ્યાન આપવાની જરુર છે.
ગામડાઓ માટે સરળ ભાષામાં ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવે-પીએમ
પ્રધાનમંત્રીએ કહ્યું કે આશા અને આંગણવાડી કાર્યકરોને બધી વસ્તુઓ મળવી જોઈએ. પ્રધાનમંત્રીએ અધિકારીઓે ગ્રામીણ વિસ્તારો માટે હોમ આઈસોલેશન અને ટ્રીટમેન્ટ માટે સરળ ભાષામાં ચિત્રોની સાથે ગાઈડલાઈન બનાવવાનો પણ ઓર્ડર કર્યો. તેમણે કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં ઓક્સિજન સપ્લાય સુનિશ્ચિત કરવા માટે એક ડિસ્ટ્રીબ્યુશન પ્લાન તૈયાર કરવામાં આવે જેમાં ઓક્સિજન કંસન્ટ્રેટર્સની પણ વ્યવસ્થા હોવી જોઈએ.
વેન્ટિલેટર્સના ઓડિટનો આદેશ
પ્રધાનમંત્રીએ કેટલાક રાજ્યોમાં ધૂળ ખાઈ રહેલા વેન્ટિલેટર્સના રિપોર્ટ પર પણ નારાજગી વ્યક્ત કરી. તેમણે અધિકારીઓને તાકીદના ધોરણે વેન્ટિલેટર્સ ઈન્સ્ટોલેશન અને તેના ઓપરેશનનું ઓડિટ કરવાનું પણ જણાવ્યું.