સિંગાપુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સિંગાપોર પહોંચ્યા હતા. જ્યાં સિંગાપોર અને ભારત વચ્ચે સંયુક્ત પ્રેસ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તો પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે ડીજીટલ પાર્ટનરશીપથી બંને દેશ ખુશ છે.
ભારત-સિંગાપોર વચ્ચે એરટ્રાફિક પણ વધ્યો છે. સિંગાપોર સાથે શૈક્ષણિક સંબંધોમાં પણ તેજી લવાશે. કૌશલ વિકાસ અને શહેરી વિકાસમાં પણ ભાગીદારી કરવામાં આવશે.
આ સિવાય નૌસેનાનો અભ્યાસ પણ શરૂ કરવાની વાત પીએમ મોદીએ કહી હતી. વધુ વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે સિંગાપોરની કંપનીઓને ભારત પર વિશ્વાસ છે. જેના પગલે ભારતમાં સિંગાપોરની કંપનીઓનું રોકાણ પણ વધ્યું છે.
સિંગાપોર સાથે સાયબર સુરક્ષા અંગે પણ કામ કરવાની વાત પીએમ મોદીએ કહી હતી. તો આતંકવાદની વાત કરતા પીએમ મોદીએ હૈયાધારણા આપી કે આતંકવાદ બંને દેશ માટે ખતરો છે. જેથી આતંકવાદ સામે સાથે મળીને લડવાની વાત પણ કહી હતી.