ટ્વીટર પર પોતાના ફેન ફોલોઈંગને અડ્રેસ કરવા અને સંવાદ સ્થાપિત કરવા માટે પીએમ મોદીએ લોકોને રિપ્લાય આપવાનું શરૂ કર્યું. અવિશ્વાસ પ્રસ્તાવ પર જીત મળ્યા બાદ પીએમ મોદીને શુભેચ્છા મળી રહી છે. ત્યારે કેટલાક લોકોએ સલાહ પણ આપી.
જેની સામે પીએમ મોદીએ સ્માઈલી સાથે જવાબ આપ્યો. શિલ્પી અગ્રવાલ નામની એક ફોલોઅર્સે પીએમને ચહેરા પર વધુ સ્મિત લાવવા કહ્યું. ત્યારે પીએમએ સ્માઈલી સાથે જવાબ આપ્યો. તો અન્ય એક યુઝર્સના દાદાનું મોત થતાં પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો.
Very sad to hear about your grandfather. My condolences in this sad hour. https://t.co/g4vv85LVzm
જ્યારે અન્ય એક ગણેશ શંકર નામના યુઝર્સે પીએમ મોદીની પ્રશાંસ કરતાં કહ્યું કે આગલા દિવસે સંસદમાં મોડી રાત સુધી ભાષણ બાદ આગલા દિવસે શાહજહાંપુરમાં ખેડૂતોને સંબોધ્યા. યુઝર્સે લખ્યું કે વાહ 60-70 વર્ષની ઉંમરે પણ PM થાકતા નથી. તેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે 125 કરોડ ભારતીયોનો આશીર્વાદ જ તેમની તાકાત છે. મારો સમગ્ર સમય દેશ માટે જ છે.
Happy to read this. Please congratulate her on my behalf. Amazing to see such high levels of awareness and passion among our youngsters for Swachhata. https://t.co/mabAStDMQs