શું તમને પીએમ મોદીની પાઘડી પસંદ આવી અથવા જે સાલ એમને ભેટમાં મળી હતી? જો હા તો તમારી પાસે તક છે એને તમારી બનાવવા માટે. આ સંભવ કરશે રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય. નવી દિલ્હી સ્થિત સંગ્રહાલય આ મહિને એ ભેટ અને સ્મૃતિ ચિન્હોની નીલામી કરી શકે છે જે પ્રધાનમંત્રી મોદીને મળી હતી.
કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રીનું કહેવું છે કે આ નીલામીથી મળેલા રૂપિયાનો ઉપયોગ સારા કામમાં કરવામાં આવશે. આ પૈસાની નમામિ ગંગે પરિયોજનામાં લગાવવામાં આવશે. આ અભિયાન ગંગા નદીના સંરક્ષણ અને કાયાકલ્પ માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. હરાજીમાં 1800 થી વધારે વસ્તુઓ સામેલ હશે. જેમાં પેન્ટિંગસ ફોટોગ્રાફ પાઘડી સાલ અને મૂર્તિઓ સહિત અન્ય ભેટ હશે.
એનજીએમએ જે સાંસ્કૃતિક મંત્રાલયની અંતર્ગત કાર્ય કરે છે એ સ્થાયી પ્રદર્શનીઓ માટે કલાની વિશેષ પ્રદર્શનિઓનું પણ આયોજન કરે છે. ગત વર્ષો ઓક્ટોબરમાં એનજીએમએ પીએમ મોદીને મળેવી ભેટોનું એક પ્રદર્શન યોજ્યું હતું.
આ પ્રકારની હકાજી ગુજરાતમાં 2015માં કરવામાં આવી હતી. એનાથી મળેલી રકમને પણ નમામિ ગંગને આપવામાં આવી હતી. ઘણી બધી ચીજોનું આરક્ષિત મૂલ્ય 500 રૂપિયા છે. જે વેબસાઇટમાં આ ભેટ નજરે આવશે એ જલ્દી લાઇવ થઇ જશે.