પીએમ નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી લખનૌમાં અમૌસી એરપોર્ટ પર ધરણા પર બેઠા છે. તેમણે લખનૌ પોલીસની કાર્યશૈલીનો વિરોધ કર્યો હતો.
પ્રહલાદ મોદીએ કર્યા ધરણાં
લખનૌમાં કર્યા ધરણાં
અમૌસી એરપોર્ટ પર કર્યા ધરણાં
પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ આજે લખનૌની પોલીસ પર આરોપ લગાવ્યો કે તેમના સમર્થકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યાં સુધી તેમને છોડવામાં નહીં આવે ત્યાં સુધી અનશન ચાલુ રાખવાની વાટ કરી હતી. જો કે આ નાટકીય અંક લાંબો સમય સુધી ચાલુ રહ્યો હતો.
પ્રહલાદ મોદી કાર્યક્રમમાં ભાગ લેવા યુપીના પ્રવાસે હતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી પ્રયાગરાજ, જૌનપુર અને સુલતાનપુરમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા જઇ રહ્યા હતા. અમૌસી એરપોર્ટ પર ઉતર્યા બાદ તે રોડમાર્ગે જવા રવાના થયા હતા. આ જાણીને તેના સેંકડો સમર્થકો ત્યાં પહોંચી ગયા. જેમને પોલીસે એરપોર્ટ પર બહારથી અટકાવ્યા હતા.
અમુક લોકોની સાથે પોલીસને શાબ્દિક બોલાચાલી થઈ હતી, જેના પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. એરપોર્ટ પર ઉતર્યા બાદ પ્રહલાદ મોદીને આ વિશે માહિતી મળ્યા બાદ તેઓ ધરણા પર બેઠા હતા. તેમણે ટેકેદારોને મુક્ત કરવાની માંગ શરૂ કરી હતી. તેમણે પોલીસને ચેતવણી આપી હતી કે જો છૂટા કરવામાં નહીં આવે તો તેઓ ભૂખ હડતાલ પર ઉતરશે. જોકે પોલીસનું કહેવું છે કે કોઈ સમર્થકની અટકાયત કરવામાં આવી નહોતી.
ગુંડાગીરીથી સરકારને કોઈ ફાયદો થશે નહીં
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ કહ્યું કે જ્યાં સુધી અમારા સમર્થકો બહાર ન આવે ત્યાં સુધી અમે ક્યાંય નહીં જઈએ. તેમણે કહ્યું કે સુરક્ષા કર્મીઓએ એમ કહ્યું કે પીએમઓના ઓર્ડર છે. જો તે આદેશની નકલ બતાવે નહીં, તો તે સુપ્રીમ કોર્ટમાં લખનઉ પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ વિરુદ્ધ અરજી કરશે અને કાર્યવાહીની માંગ કરશે. આવી ગુંડાગીરી કરવાથી સરકારને કોઈ ફાયદો થશે નહીં.