આઝાદીના અમૃત મહોત્સવના પ્રસંગ પર પીએમ મોદીએ સીવીસી અને સીબીઆઈના સંયુક્ત સમ્મેલનનો સંબોધિત કર્યુ.
ભ્રષ્ટાચાર નાનો હોય કે મોટો તે કોઈને કોઈ રીતે હક છીનવે - પીએમ
પીએમએ દેશમા થઈ રહેલા ભ્રષ્ટાચારને લઈને મોટી વાત કહી
દેશને લૂંટનારા લોકો ગમે તેટલા શક્તિશાળી કેમ ન હોય અમે તેને નહીં છોડીએ
ભ્રષ્ટાચાર નાનો હોય કે મોટો તે કોઈને કોઈ રીતે હક છીનવે - પીએમ
પીએમએ આ સંબોધનમાં દેશમા થઈ રહેલા ભ્રષ્ટાચારને લઈને મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર નાનો હોય કે મોટો તે કોઈને કોઈ રીતે હક છીનવે છે. આ દેશના સામાન્ય નાગરિકોને અધિકારોથી વંચિત કરે છે. રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધ હોય છે અને એક રાષ્ટ્રના રુપમાં આપણી સામુહિત શક્તિઓને અસર પહોંચાડે છે. તેમણે કહ્યું કે ગત 6-7 વર્ષોના નિરંતર પ્રયાસોથી અમે પોતાના દેશમાં એક વિશ્વાસ કાયમ કરવામાં સફળ થયા છીએ કે વધતા ભ્રષ્ટાચારને રોકવો શક્ય છે. આજે દેશને એક વિશ્વાસ થયો છે કે કોઈ દેવળ દેવડ વગર લોકોને સરકારી યોજનાનો લાભ મળી શકે છે.
દેશને લૂંટનારા લોકો ગમે તેટલા શક્તિશાળી કેમ ન હોય અમે તેને નહીં છોડીએ
આજે દેશને એમ પણ વિશ્વાસ બેઠો છે કે દેશને છેતરનારા, ગરીબોને લૂંટનારા ગમે તેટલા શક્તિશાળી કેમ નહોય દેશ અને દુનિયામાં ક્યાંય પણ કેમ ન હોય તેમના પર દયા નહીં રાખવામાં આવે. સરકાર તેમને છોડતી નથી. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર પર કાબૂ મેળવવા માટે અમારી સરકાર પ્રો પીપલ, પ્રોએક્ટિવ ગવર્ને્સને સશક્ત કરવામાં જોડાયેલી છે. પીએમ મોદીએ આગળ કહ્યું કે ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા નવા પડકારોને સાર્થક સમાધાનની શોધ માટે તમે બધા સરદાર વલ્લભભાઈ પટેલના સાનિધ્યમાં મહામંથન માટે ભેગા થયા છે. સરદાર પટેલ હંમેશ ગવર્નેન્સને ભારતના વિકાસને,જન સરોકાર ને, જન હિતના આધાર બનાવવાને સર્વોચ્ચ પ્રાથમિક્તા આપી છે.
સરકારી પ્રક્રિયાઓને સરળ બનાવવા નિરંતર પ્રયાસ કરો
પીએમ મોદીએ કહ્યું કે અમે દેશવાસિઓના જીવનમાં સરકારની દખલને ઓછી કરવા માટે એક મિશનના રુપમાં લીધુ. અમે સરકારી પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે નિરંતર પ્રયાસ કર્યા. મૈક્સિમમ ગવર્નમેન્ટ કન્ટ્રોલની જગ્યાએ મિનિમમ ગવમેન્ટ , મૈક્સિમમ ગવર્નેન્સ પર ફોકસ કર્યુ.