ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી મોદી સીતાપુરમાં પોતાની રેલી દરમિયાન વિપક્ષ પર બરાબરના બગડ્યા હતા. આ દરમિયાન તેમણે વેક્સિન અભિયાનનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.
પીએમ મોદી યુપીના સીતાપુરમાં રેલીમાં જોડાયા હતા
અહીં તેમણે વિપક્ષ પર આકરાં પ્રહારો કર્યા હતા
વેક્સિન અભિયાનના પૂરજોશમાં કર્યા હતાં વખાણ
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી મોદી સીતાપુરમાં પોતાની રેલી દરમિયાન વિપક્ષ પર બરાબરના બગડ્યા હતા.તેમણે કહ્યું હતું કે, યુપીમાં સ્થિતી એવી હતી કે, કોઈ તહેવાર તણાવ વગર અને કે કર્ફ્યૂ વગર નિકળી જતો તો, લોકો રાહતનો શ્વાસ લેતા હતા. હવે યોગી સરકારે યુપીના લોકોને ગુંડાઓે અને અસમાજિક તત્વોથી છૂટકારો અપાવ્યો છે. લોકોને બીજેપીને વોટ આપવાની અપીલ કરતા તેમણે કહ્યું કે, સમગ્ર યુપી કહી રહ્યું છે કે, જે કાયદાનું રાજ લાવ્યા છે, અમે તેને લાવીશું.
મફત વેક્સિન આપવાનું કામ અમે પાર પાડ્યું
પ્રધાનમંત્રીએ દાવો કર્યો હતો કે, કોરોનાકાળમાં ગરીબોને મફત વેક્સિન પર અમારી સરકારે સમગ્ર ધ્યાન આપ્યું છે. પહેલાની સરકારમાં આટલું મોટુ અભિયાન ચલાવીને ગરીબોને મફત વેક્સિન આપવામા આવતી નહોતી. આઝાદીના આટલા વર્ષોમાં પહેલી વાર આ થયું છે. તેમણે કહ્યું કે, પહેલાની સરકારોનું વેક્સિનેશન કાર્યક્રમ આપણાં ગામડા સુધી, આદિવાસી વિસ્તારો સુધી પહોંચી શકતું નહોતું. વર્ષો સુધી કાર્યક્રમો ચાલતા હતા. ત્યારે જતાં લોકોને એક ડોઝ પણ લાગતો નહોતો.
મોદીએ કહ્યું કે, વિદેશોમાં કોરોનાની રસી બહું મોઘી મળી રહી છે. પણ ભારતમાં ભાજપની સરકાર માટે તિજોરી નહીં, દેશવાસીઓની જીંદગી કિંમતી છે. તિજોરી ખાલી કરી દઈશું, પણ રસી ઘર ઘર સુધી પહોંચાડીને રહીશું. આ કામ અમે કર્યું છે. તેમણે કહ્યું કે, ગરીબ માતા-બહેનોને ખુલ્લામાં શૌચના અપમાનમાંથી મુક્તિ અપાવી છે. આઝાદીના સાત દાયકા બાદ મારી ગરીબ મા અંધારાની રાહ જોતી હતી. આ મારી ગરીબ માતાનું દર્દ, ગરીબ પરિવારોનું દર્દ, ગરીબીમાંથી આવેલો તેનો દિકરો જ જાણી શકે.
સીતાપુર સાથે નાનપણનો કિસ્સો યાદ કર્યો
વડાપ્રધાન મોદીએ દાવો કર્યો હતો કે, ભાજપ સરકારે યુપીમાં 2 કરોડથી વધારે શૌચાલયો બનાવ્યા છે. શૌચાલયોને ઈજ્જત ઘરનું જે નામ મળ્યું છે, તે ઉત્તર પ્રદેશની દિકરીઓએ આપ્યું છે. પોતાના ભાષણમાં મોદીએ લોકલ વોર વોકલની પણ ચર્ચા કરી અને સીતાપુરથી પોતાના નાનપણના સંબંધનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, જ્યારે તેઓ નાના હતા, તો તેમના ગામમાંથી લોકો આંખોની સારવાર માટે સીતાપુર આવતા હતા. આજે એવી હાલત છે કે હું બતાવી શકતો નથી. યોગીજીએ સીતાપુરની હાલત સુધારવામાં ખૂબ મહેનત કરી છે.