ઝારખંડના દુમકામાં PM નરેન્દ્ર મોદીએ નાગરિકતા કાયદા પર થઇ રહેલા પ્રદર્શન પર પહેલીવાર નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ ભાજપનો વિરોધ કરતા મર્યાદા ઓળંગી દે છે. તેઓએ કહ્યું કે નાગરિકતા બિલ વિરુદ્ધ કોંગ્રેસ અને તેમના સાથી હંગામો મચાવી રહ્યા છે. તોફાન ઉભા કરી રહ્યા છે.
નાગરિકતા કાયદા પર પહેલી વાર PM મોદીએ આપ્યું નિવેદન
આગ લગાવનાર વિશે તેમના કપડાથી જાણી શકાય છે
ભારતના બંને ગૃહે બહુમતથી બિલ પાસ કર્યું : પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે તેમની વાત નથી ચાલતી તો આગજની ફેલાવી રહ્યા છે. આ જે આગ લગાવી રહ્યા છે. ટીવી પર તેમના જે દ્રશ્ય દેખાઇ રહ્યા છે. આ આગ લગાવનાર કોણ છે, તેમના કપડાથી જ જાણવા મળે છે.
ये कांग्रेस और उसके साथी हो-हल्ला मचा रहे हैं, तूफान खड़ा कर रहे हैं। उनकी बात चलती नहीं है तो आगजनी फैला रहे हैं। ये जो आग लगा रहे हैं, टीवी पर जो उनके दृश्य आ रहे हैं, ये आग लगाने वाले कौन हैं, उनके कपड़ों से ही पता चल जाता है: पीएम श्री @narendramodi#JharkhandModikeSaathpic.twitter.com/D7eWV2I62f
પીએમ મોદીએ કહ્યું કે, અમારી સંસદે નાગરિકતા સાથે જોડાયેલ એક બદલાવ કર્યો, જેથી પાડોશી દેશમાં રહેતા હિન્દુઓ, શીખ, ઇસાઇ, પારસી, બૌદ્ધ, જૈનને નાગરિકતા મળી શકે. તેના માટે ભારતના બંને ગૃહે બહુમતથી બિલ પાસ કર્યું. કોંગ્રેસ અને તેમના સહયોગી તોફાન ઉભુ કરી રહ્યા છે. આ આગ લગાવનારા કોણ છે, એ તેમના કપડાઓથી જાણવા મળે છે.
20 ડિસેમ્બરે મતદાન
આ મત વિસ્તારમાં 20 ડિસેમ્બરે મતદાન થવાનું છે. સંથાલ પરગનાનો આ મત વિસ્તાર ઝારખંડ મુક્તિ મોરચાનો ગઢ માનવામાં આવે છે. તેથી બીજેપી આ ક્ષેત્રમાં વધારે જોર લગાવી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓ કેટલાક દિવસોથી ઝારખંડમાં રેલીઓ કરી રહ્યા છે, પરંતુ જ્યાં પણ જાય છે ત્યાંની ભીડ ગત રેલીઓનો રેકોર્ડ તોડી દે છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓએ આદિવાસી વિસ્તારોમાં જીવનનો લાંબો સમય વિતાવ્યો છે. એક કાર્યકર્તાના રૂપે આદિવાસીઓની સેવા કરવાનો મને લાંબો અનુભવ છે.