બિહારમાં ચૂંટણી જંગમાં આજથી પ્રચાર અભિયાન શરુ થયું છે. જેમાં આજે પીએમ મોદી ત્રણ રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. રેલી પહેલા લોક જનશક્તિ પાર્ટી(એલજેપી) ના અધ્યક્ષ ચિરાગ પાસવાને પીએમ મોદીનું બિહારમાં સ્વાગત કર્યું છે. આ સાથે ચિરાગે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર કટાક્ષ કર્યો છે.
પીએમએ સાસારામથી ચૂંટણી પ્રચારની શરુઆત કરી
પીએમ બિહારમાં કુલ 12 રેલીઓ કરશે
આ જુઠ અને કુશાસને પાછળ છોડી દો- રાહુલ ગાંધી
પીએમ મોદીએ બિહારના સાસારામથી ચૂંટણી પ્રચારની શરુઆત કરી છે. તેમને પહેલી રેલી સંબોધિત કરી છે. પીએમએ પ્રથમ રેલી સંબોધિત કરતા પોતાનું ભાષણ ભોજપુરીમાં શરુ કર્યું છે. પીએમએ રામવિલાસ પાસવાન અને રઘુવંશ પ્રસાદ સિંહને શ્રદ્ધાંજલી આપી.
પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકાર જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવવાનો નિર્ણય કર્યો, પણ હવે આ લોકો તેને ઉલ્ટાવવા માંગે છે. વિપક્ષ કહી રહ્યું છે કે સત્તામાં આવવા પર તેઓ ફરી 370 લાગુ કરશે. પીએમએ કહ્યું કે આ લોકો કોઈની પણ મદદ લઈ લે પણ દેશ પોતાના નિર્ણયથી પાછો નહીં હટે.
जम्मू कश्मीर से आर्टिकल-370 हटने का इंतजार देश बरसों से कर रहा था या नहीं।
ये फैसला हमने लिया, एनडीए की सरकार ने लिया।
लेकिन आज ये लोग इस फैसले को पलटने की बात कर रहे हैं।
ये कह रहे हैं कि सत्ता में आए तो आर्टिकल-370 फिर लागू कर देंगे।
પીએમે કહ્યું કે જો બિહારમાં ઝડપથી કામ ન થયું હોત તો અનેક લોકોના જીવ જઈ શકતા હતા. અમીરથી અમીર દેશ નથી બચી શક્યા. બિહારના લોકો ક્યારેય કન્ફ્યૂઝ નથી હોતા. ફરી એકવાર એનડીએ સરકાર બનવા જઈ રહી છે.
પીએમએ કહ્યું કે કેટલાક લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે અચાનક નવી શક્તિને વધારે છે પણ કોઈ અસર થતી નથી. બિહારના મતદાતા ભ્રમ ફેલાવનારાને નિષ્ફળ બનાવી રહ્યા છે. જેમનો ઈતિહાસ બિહારને બિમારુ બનાવવાનો છે તેમને આસપાસ નહીં ભટકવા દઈએ. બિહારના સપૂત ગલવાનમાં અને પુલવામામાં શહિદ થયા પણ ભારત માતાનું શિશ જૂકવા નથી દીધુ. બિહારે 3 ગઈ વીજળી ઉત્પાદન કર્યું. આજે એવો માહોલ છે જ્યાં બિહારમાં લોકો શાંતિથી રહી શકે છે. પહેલા બિહાર સરકારની સામે હત્યા અને ઘાડ પડતી હતી.
પીએમએ કહ્યું લોકો સરકારી નોંકરીમાં લાંચ લેતા હતા. લોકો બિચારને લાલચની નજરે જોતા હતા. ત્યારે બિહારના યુવાનોને જોવાનું છે કે રાજ્યને આ સંકટમાં નાંખનારા કોણ હતા. પહેલા રાશન લુંટી લેવામાં આવતું હતું. અત્યારે અમારી સરકાર ગરીબોને મફત રાશન આપી રહી છે. દેશ આગળ વધી રહ્યો છે. લોકો વિકાસમાં રોડા નાંખી રહ્યા છે. જ્યારે ખેડૂતોના હકમાં નિર્ણય લેવાયો તો લોકો વચેટિયાઓને બચાવવામાં લાગ્યા છે. આમના માટે દેશ હિત નહીં દલાલોનું હિત અગત્યનું છે.
સાસારામની રેલીને સૌથી પહેલા નીતિશે સંબોધિત કરી કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં દેશ કોરોનાની સામે લડી રહ્યો છે. બિહારમાં કેન્દ્ર દ્વારા જારી કરવામાં આવેલી તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું છે. કેન્દ્રના સહયોગથી બીજા રાજ્યોમાંફસાયેલા લોકોને બિહાર વાપસી કરાવી છે. કેન્દ્ર તરફતી રાશન, સિલેન્ડર, શૌચાલયની સુવિધાઓ આપવામાં આવી છે. નીતિશ કુમારે કહ્યું કે બિહાર સરકારે કોરોના દરમિયાન 10 હજાર કરોડથી વઘારે ખર્ચ કર્યો. બહારથી આવેલા લોકોને આર્થિક મદદ કરી છે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી પણ આજથી બિહાર ચૂંટણીમાં પોતાની પહેલી રેલી સંબોધિત કરી રહ્યા છે. આ પહેલા તેમણે ટ્વીટમાં લખ્યું કે, તમારા દાવામાં બિહારનું વાતાવરણ ગુલાબી છે, પણ આ આંકડા જૂઠા છે અને દાવા પુસ્તકીયા છે. કોરોના હોય કે બેરોજગારી, જૂઠા આંકડાથી આખો દેશ હેરાન છે. આજે બિહારમાં તમારી વચ્ચે છું. આ જુઠ અને કુશાસને પાછળ છોડી દો.
નોંધનીય છે કે પીએમ મોદી બિહારમાં કુલ 12 રેલીઓ કરશે. શુક્રવારે 3 રેલી અને પછી 28 ઓક્ટોબરે દરભંગા, મુઝફ્ફરપુર અને પટનામાં રેલી કરશે. પીએમ 1 નવેમ્બરે છપરા, પૂર્વી ચંપારણ અને સમસ્તીપુર અને 3 નવેમ્બરે પશ્ચિમી ચંપારણ, સહરસ અને ફારબિસગંજમાં રેલી કરશે. પીએમ મોદીની રેલીઓમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ સ્ટેજ પર હાજર રહેશે. પીએમ મોદીની 4 દિવસની બીજી રેલીમાં જેડીયુના કેટલાક મોટા નેતા પોતે જ હાજર રહેશે. જેડીયુના લલન સિંહ 23 ઓક્ટોબરે યોજાનારી પીએમ મોદીની બીજી રેલીમાં હાજર રહેશે.