રાજ્યસભામાં ગુલામ નબી આઝાદ સહિત 4 સાંસદોની વિદાય પર PM મોદી ભાવુક થઇ ગયા.
રાજ્યસભામાં 4 સાંસદોનો વિદાય સમયે PMનું સંબોધન
PM મોદી રાજ્યસભાના સાંસદો વિદાય આપતા થયા ભાવુક
રાજ્યસભામાં 4 સાંસદોના વિદાય સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું. પીએમ મોદી રાજ્યસભાના સાંસદોને વિદાય આપતા ભાવુક થઇ ગયેલા જોવા મળ્યાં.
પીએમ મોદીએ ગુલામ નબી આઝાદ સાથેનો અનુભવ વર્ણવતા ભાવુક થઇ ગયા. આઝાદને લઇને ગુજરાતના મુખ્યમંત્રીકાળના સમયેને યાદ કર્યો.
The person who will replace Ghulam Nabi ji (as Leader of Opposition) will have difficulty matching his work because he was not only concerned about his party but also about the country and the House: PM Modi during farewell to retiring members in Rajya Sabha pic.twitter.com/bVE3Cnddl2
પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે ગુલામ નબી જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી હતા. હું ગુજરાતનો સીએમ હતો ત્યારે જમ્મૂ-કાશ્મીરમાં આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં ગુજરાતી યાત્રિકોના મોત થયા હતા.
તત્કાલિન જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે મને ફોન કર્યો હતો. ફોન પર ગુલામ નબી સાહેબ રડી પડ્યાં હતા. પીએમ મોદીએ કોંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદનની ભરપુર પ્રશંસા કરી.
#WATCH: PM Modi gets emotional while reminiscing an incident involving Congress leader Ghulam Nabi Azad, during farewell to retiring members in Rajya Sabha. pic.twitter.com/vXqzqAVXFT
પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગુલામ નબી આઝાદ પક્ષની સાથે દેશ માટે પણ વિચારતા હતા. તેમની જગ્યા ભરવી મુશ્કેલ રહેશે. આજરોજ રાજ્યસભામાં કુલ ચાર સાંસદોની વિદાય થઇ રહી છે. જેમાં ગુલામ નબી આઝાદ સિવાય મીર મહોમ્મદ, શમશેર સિંહ અને નાઝિર અહમદ આજે રાજ્યસભામાંથી વિદાય લઇ રહ્યાં છે.