પીએમ નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાંથી 370 હટાવવાનો વિરોધ કરી રહેલા પક્ષોને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે. પીએમ મોદીએ કહ્યું છે કે વિરોધ કરનારા લોકોમાં હિંમત હોય તો તેમણે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. એટલું જ નહીં, પીએમ મોદીએ આવી પાર્ટીઓને તેમના ચૂંટણી ઢંઢેરામાં કલમ 370 પાછી લાવવાની જાહેરાત કરવાની માંગ કરી હતી.
પીએમ નરેન્દ્ર મોદીનો વિરાધીઓને ખુલ્લો પડકાર
ચૂંટણી ઢંઢેરામાં કલમ 370 પરત લાવવાની કરે જાહેરાત
મોદીએ કહ્યું, 'કાન ખોલીને અમારા વિરોધીઓ વાત સાંભળી લો, જો તમારી હિંમત હોય તો આ ચૂંટણીના ઢંઢારામાં અને આગામી ચૂંટણીઓમાં જાહેર કરો કે કલમ Article 370 પાછી લાવવામાં આવશે.'
ફડણવીસ સરકારના કર્યા વખાણ
પીએમ મોદીએ ફડણવીસ સરકારની પ્રશંસા કરતા કહ્યું કે, 'છેલ્લા 5 વર્ષના અમારા કાર્યથી વિપક્ષ પણ પરેશાન છે. અમારા વિરોધીઓ પણ માને છે કે ભાજપ-શિવસેના જોડાણનું નેતૃત્વ કાર્યકારી અને શક્તિશાળી બંને છે.
'પીએમએ કહ્યું, 'જ્યારે આપણે અહીં ગરીબ બહેનોના જીવનમાં પરિવર્તન વિશે સાંભળીએ છીએ, ત્યારે આપણે સંતુષ્ટ થઈએ છીએ. અમારી સરકારની આવાસ યોજનાને કારણે આજે મહારાષ્ટ્રની લગભગ 10 લાખ બહેનો તેમના પાકના મકાનમાં તેમના પરિવારની સંભાળ લઈ રહી છે.
માત્ર જમીન નથી કાશ્મીર અને લદ્દાખ
પીએમ મોદીએ પોતાના ભાષણમાં એમ પણ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ફક્ત જમીનનો ટુકડો નથી, તે માતા ભારતીનું માથું છે, ત્યાંના કણ-કણ ભારતની શક્તિને મજબૂત બનાવે છે.
કલમ 370 : NDA સરકારનો અભુતપૂર્વ નિર્ણય
પીએમ મોદીએ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણય અંગે પણ પોતાના વલણ રજૂ કર્યા હતો. પીએમએ કહ્યું, 5 ઓગસ્ટના રોજ તમારી ભાવના પ્રમાણે ભાજપ-એનડીએ સરકારે અભૂતપૂર્વ નિર્ણય લીધો. એવો નિર્ણય કે જેના વિશે વિચારવું પણ અશક્ય હતું. જમ્મુ-કાશ્મીરમાં રહેતા વાલ્મીકી ભાઈઓને તેમના અધિકારોથી ઇનકાર કરવામાં આવ્યા હતો, પરંતુ હવે એવું નથી. પીએમએ એમ પણ કહ્યું હતું કે કાશ્મીરમાં ફક્ત આતંક અને અલગતાવાદ વિસ્તરતા હતા.