PM મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર કાશીને 1,583 કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી છે.
કાશીને 1,583 કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી
CM યોગીના કામના કર્યા વખાણ
UPમાં ગુંડા રાજ કર્યું નષ્ટ
કાશીને 1,583 કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી
PM મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર કાશીને 1,583 કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી છે. આ સાથે જ તેમણે B.H.U ગ્રાઉન્ડમાં લોકોને સંબોધિત કરતાં રાજ્યના CM યોગી આદિત્યનાથના વખાણ કર્યા હતા. છેલ્લા ઘણા દિવસોમાં નેતૃત્વ પરિવર્તન અને યુપી સરકારમાં ઘણા મોટા ફેરબદલ થશે તે વાતને ખોટી સાબિત કરી દીધી છે. CM યોગીને તેમણે એકદમ કર્મઠ અને લોકપ્રિય નેતા ગણાવતા તેમણે કોરોના સંકટથી લડવામાં યોગી સરકાર દ્વારા કરેલ કામના ઘણા વખાણ કર્યા છે.
Today UP is a state that does the maximum number of testings across the country. It is a state that does maximum number of vaccinations: Prime Minister Narendra Modi in Varanasi#COVID19pic.twitter.com/OdAMaKYycs
UPમાં ગુંડા રાજ કર્યું નષ્ટ
પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે મુખ્યમંત્રી પોતાના દરેક કામ જાતે જ સંભાળે છે, તે દરેક કામ પર એકદમ બારીકાઈથી નજર રાખે છે. કાશીથી દૂરના વિસ્તારોમાં પણ થતાં કામોમાં તેઓ ઘણું ધ્યાન આપે છે. આગળ PM મોદી બોલ્યા કે યોગી સરકારના રાજમાં માફિયાઓ અને ગુંડા રાજ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું છે. પોતાના આક્રમક અંદાજમાં તેઓ બોલ્યા કે આજે બહેન દીકરીઓ પર નજર ઉઠાવવા વાળા લોકોને ખબર છે કે તેઓ કાયદા કાનૂનથી બચી નહીં શકે. આજે UP સરકાર ભ્રષ્ટાચારથી અને ભાઈ ભત્રીજાવાદથી નહીં પણ વિકાસવાદથી ચાલી રહ્યું છે. એટલે જ આજે UPમાં જનતાની યોજનાઓનો લાભ સીધો જ જનતાને મળે છે. PM મોદીને કહ્યું કે UPએ જે રીતે કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ફેલાતા અટકાવ્યું છે તે એકદમ અભૂતપૂર્વ છે.
CM યોગીના કામના કર્યા વખાણ
તેમણે આગળ કહ્યું કે આ બધુ જ UPના લોકોએ જોયું પણ છે કે અહિયાં પહેલા મગજનો તાવ અને બીજી ઘણી બધી બીમારીઓ જેવી મોટી મુશ્કેલીઓ આવતી હતી. હું જ્યારે અડધી રાત્રે પણ ફોન કરતો હતો ત્યારે મને મહામારી માટે શું શું વ્યવસ્થા કરી છે તેની માહિતી મળી જતી હતી. કોરોનાની સામે લડત આપનાર આખી ટીમનો હું આભારી છું. આ એક ઘણી મોટી સેવા છે. ઘણો મુશ્કેલ સમય હતો પણ લોકોએ પ્રયાસો કરવામાં કોઈ કમી છોડી નથી.