આજે દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 75મી જન્મ જયંતિ છે. દિલ્હીમાં આવેલ તેમની સમાધી વીર ભૂમિ પર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને રાજીવ ગાંધીના પત્ની સોનિય ગાંધીએ શ્રદ્ધાંજલિ આપી. તેમની સાથે પુત્ર રાહુલ ગાંધી, દિકરી પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાએ પણ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન પ્રણવ મુખર્જીએ પણ રાજીવ ગાંધીને 75મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસર પર ગુલાબ નબી આઝાદ, ભૂપિન્દર હુડ્ડા અને અહેમદ પટેલ સહિત કોંગ્રેસ નેતાઓ રાજીવ ગાંધીની સમાધિ પહોંચ્યા હતા.
Prime Minister Narendra Modi tweets, "Tributes to our former Prime Minister Shri Rajiv Gandhi on his birth anniversary." pic.twitter.com/tqTKMwkKMs
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવિટ કરી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ ટવિટ કરી જણાવ્યું હતું કે આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ સમાધિ જઇ પૂર્વ પીએમ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. રાજીવ ગાંધીની જન્મ જંયતિ પર કોંગ્રેસ દ્વારા દેશભરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
Delhi: Congress Interim President Sonia Gandhi, Former Prime Minister Dr Manmohan Singh, Rahul Gandhi, & Priyanka Gandhi Vadra pay tributes to former Prime Minister Rajiv Gandhi on his 75th birth anniversary. pic.twitter.com/3tcPgY4u3K
આજે રાજીવ ગાંધીની જન્મજંયતીની ઉજવણીને લઇને કોંગ્રેસ પ્રદેશ કાર્યલાયો ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જ્યારે ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરો રાજ્યભરમાં વૃક્ષારોપણ કરશે. આ સાથે રાજીવ ગાંધીએ કરેલા કાર્યોનો પ્રચાર પણ કરવામાં આવશે.