જન ઔષધિ દિવસની તક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન ઔષધિ કેન્દ્રોના લાભાર્થિયો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું હતું. જેમાં એક મહિલાએ કહ્યું કે મેં ભગવાનને તો નથી જોયાં, પરંતુ મોદીજી મે તમને જોયા છે... એક મહિલાની વાત સાંભળી પીએમ મોદી ભાવુક થઇ ગયેલા જોવા મળ્યાં હતા.
જન ઔષધિ દિવસના કાર્યક્રમમાં PM મોદી થયાં ભાવુક
મહિલાએ કહ્યું મે ભગવાનતો નથી જોયાં પરંતુ મોદીને જોયાં છે.
જૈન ઔષધિ કાર્યક્રમ હેઠળ એક મહિલાએ જણાવ્યું કે 2011માં મને લકવા થયો હતો, હું બોલી શકતી નહોતી. ત્યારે મારો ઇલાજ ચાલી રહ્યો હતો, ત્યારે દવાઓ ઘણી મોંઘી પડતી હતી, જેના કારણે ઘર ચલાવામાં મુશ્કેલી પડતી હતી. પછી જન ઔષધિથી દવા લેવાનું શરૂ કર્યું. જેના કારણે રૂપિયાની બચત થવા માંડી. પહેલાં જે દવા 5000 માં આવતી હતી તે હવે 1500 રૂપિયામાં મળવા લાગી. મહિલાએ આગળ કહ્યું કે મે ભગવાનને તો જોયાં નથી, પરંતુ ભગવાનના રૂપમાં મોદીજીને જોયાં. જેના પર મહિલા રડવા લાગી જેને લઇને પીએમ મોદી પણ ભાવુક થઇ ગયા.
પીએમ મોદીએ કહ્યું કે આ યોજનાની ઉજવણી કરવાનો દિવસ નથી. આ લાખો લોકો સાથે જોડાવાનો એક પ્રસંગ છે, જે આ યોજનાથી લાભાન્વિત થયા છે.
પીએમ મોદીએ બતાવ્યાં સરકારના ચાર સૂત્ર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકારના ચાર સૂત્રો પર કામ કરી રહી છે. પહેલું પ્રત્યેક નાગરિકોને બિમારીથી કેવી રીતે બચવું જોઇએ, બીજુ જો તે બિમાર થઇ જાય તો તેને સસ્તો અને સારો ઇલાજ કેવી રીતે મળે, ત્રીજા ઇલાજ માટે આધુનિક હોસ્પિટલ, પર્યાપ્ત તબીબ અને મેડીકલ સ્ટાફ અને ચોથુ સૂત્ર છે મિશન મોડ પર કામ.
PM Narendra Modi interacts with beneficiaries of Pradhan Mantri Bhartiya Janaushadi Pariyojana: Janaushadhi Day is not just a day to celebrate a scheme, but a day to connect with millions of Indians, millions of families, who have got great relief because of this scheme. pic.twitter.com/grIc5k66Db
દરેક વ્યક્તિ સુધી સસ્તુ અને ઉત્તમ ઇલાજ પહોંચાડવાનો સંકલ્પ
પીએમ મોદીએ કહ્યું કે દરેક ભારતીયવાસીના આરોગ્ય માટે અમે ચાર સૂત્રો પર કામ કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના એટલે કે પીએમ-બીજેપી તેની એક મહત્વની કડી છે.
PM Narendra Modi: Poori duniya namaste ki aadat daal rahi hai, agar kisi kaaran se humne ye aadat chhod di hai, toh haath milane ke bajaye is aadat ko phir se daalne ka ye uchit samay hai. #coronavirushttps://t.co/P00AduIkFYpic.twitter.com/0dBX3JrXgq
ગુવાહાટીથી અશોક કુમારે કોરોનાવાયરસને લઇને પૂછવામાં આવેલા સવાલ પર પીએમ મોદીએ કહ્યું કે પરિવારમાં જે બાકી લોકો છે તેમનું પણ સંક્રમણની આશંકા વધારે હોય છે, એવામાં એમનો ટેસ્ટ કરાવો જોઇએ. બધા લોકોએ માસ્ક પહેરવા જોઇએ.