પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ભારતની સ્વતંત્રતાના 75મી વર્ષગાંઠને ચિન્હીત કરવા માટે દેશભરમાં શરૂ થયેલા હર ઘર તિરંગા અભિયાનને મળી રહેલા અદ્ભૂત પ્રતિસાદના વખાણ કર્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ભારતની સ્વતંત્રતાના 75મી વર્ષગાંઠને ચિન્હીત કરવા માટે દેશભરમાં શરૂ થયેલા હર ઘર તિરંગા અભિયાનને મળી રહેલા અદ્ભૂત પ્રતિસાદના વખાણ કર્યા હતા. પીએમ મોદીએ આ અવસરે કહ્યું કે, હું બહું ખુશ અને ગૌરવાન્વિત છું. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, હર ઘર તિરંગા આંદોલનની અદ્ભૂત પ્રતિક્રિયાથી બહું ખુશ અને ગૌરવાન્વિત છું. આપણે જીવનના અલગ અલગ ક્ષેત્રોમા ંરેકોર્ડ ભાગીદારી જોઈ રહ્યા છીએ. આઝાદીના અમૃત મહોત્સવને ચિન્હીત કરવાની આ એક શાનદાર રીત છે.
Overjoyed and proud of the amazing response to the #HarGharTiranga movement. We are seeing record participation from people across different walks of life. This is a great way to mark Azadi Ka Amrit Mahotsav. Do also share your photo with the Tiranga on https://t.co/0CtV8SCMF7
પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને હર ઘર તિરંગા આંદોલનની સત્તાવાર વેબસાઈટ પર તિરંગાની સાથએ પોતાની તસ્વીર શેર કરવાની પણ અપીલ કરી છે. વેબસાઈટ અનુસાર અત્યાર સુધીમાં વેબસાઈટ પર બે કરોડથી વધારે લોકોએ સેલ્ફી અપલોડ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અભિયાન અંતર્ગત દેશભરમાં કેટલીય જગ્યાઓ પર આયોજીત સમારંભની ઝલક પણ શેર કરી હતી.
પીએમ મોદીએ પોતાના એક અન્ય ટ્વીટમાં લેહ અને લદ્દાખમાં આઝાદી કા અમૃત મહોત્સવ મનાવતા બાળકોનો વીડિયો શેર કરતા કહ્યું કે, હું હર ઘર તિરંગા આંદોલનનુ સમર્થન કરનારા આ યુવાનોની સરાહના કરુ છું.
ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે 13થી 15 ઓગસ્ટની વચ્ચે ભારતની સ્વતંત્રતાના 75માં વર્ષને ચિન્હીત કરવા માટે લોકોને તિરંગો ઘરે લગાવવા માટે પ્રોત્સાહન આપવા આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી છે.