પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર પોતાની વાત રાખી છે. શિક્ષા મંત્રાલય દ્વારા આયોજિત એક કોન્ફરન્સમાં મોદીએ શુરુઆતમાં સંબોધન શરુ કર્યુ છે. 34 વર્ષ બાદ બદલાયેલી શિક્ષણ નીતિ અંગે આજે પીએમ વાત કરી છે. તેમણે જણાવ્યું કે ભારતને મજબુત બનાવવા માટે, આ શિક્ષણ નીતિમાં તેને વિકાસની નવી ઉંચાઇ પર લઈ જવા માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
પહેલી વાર પીએમ સાર્વજનિક ભાષણ કરી રહ્યા છે
તેઓ આ નીતિ કેટલી અસરકારક છે તે અંગે વાત કરી રહ્યા છે
શિક્ષા મંત્રાલય દ્વારા આયોજિત એક કોન્ફરન્સમાં મોદીએ શુરુઆતમાં સંબોધન શરુ કર્યુ
દેશમાં 34 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિ આવી છે. તેના પર પહેલી વાર પીએમ સાર્વજનિક ભાષણ કરી રહ્યા છે. જેમા નવી શિક્ષણ નીતિ, ભવિષ્યની શિક્ષા, રિસર્ચ જેવા મુદ્દે ચર્ચા થશે. પીએમ મોદીએ કહ્યું કે 3-4 વર્ષના વિચાર વિમર્શ બાદ નવી શિક્ષા નીતિને મંજૂરી મળી છે. આજે દરેક વિચારધારાના લોકોના લોકો આ મુદ્દે મંથન કરી રહ્યા છે. આજે નવી નીતિનો કોઈ વિરોધ નથી કરી રહ્યું. કેમ કે આમાં કંઈ પણ એક કરફી નથી. આજે લોકો વિચારી રહ્યા છે કે આટલા મોટા રિફોર્મને જમીન પર કેવીરીતે ઉતાર્યુ.
At 11 AM on Friday, 7th August, I would be addressing the ‘Conclave on Transformational Reforms in Higher Education under National Education Policy.’
This conclave will emphasise on how the changes in India’s education sector will benefit youngsters. https://t.co/JkYXosI7WF
સંબોધનમાં પીએમે કહ્યું કે જમીન પર ઉતારવા માટે જેકાંઈ કરવું પડ્યું તે ઝડપી કર્યુ છે. પીએમ એ કહ્યું કે તમને આને અમલમાં મુકવામાં જે કંઈ મદદની જરુર પડે હું તમારી સાથ છું. શિક્ષણ નીતિમાં દેશના લક્ષ્યોનું ધ્યાન રાખવું જરુરી છે. જેથી ભવિષ્યની પેઢીને તૈયાર કરી શકાય. આ નીતિ નવા ભારતનો પાયો મુકશે. પીએમએ કહ્યું કે ભારતને શક્તિશાળી બનાવવા માટે નાગરિકોને સશક્ત બનાવવા માટે સારુ શિક્ષણ આપવાની જરુર છે.
હવે યુવા સર્જનાત્મક વિચારોને અનુસરી શકશે
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે જ્યારે નર્સરીનું બાળક પણ નવી ટેકનોલોજી અભ્યાસ કરી શકશે, ત્યારે ભવિષ્ય માટેની તૈયારી કરવાનું વધુ સરળ બનશે. ઘણા દાયકાઓથી શિક્ષણ નીતિ બદલાઇ ન હતી, તેથી સમાજમાં ઘેટાંની ચામડીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હતું. ડોક્ટર-એન્જિનિયર-વકીલ બનાવવાની સ્પર્ધા હતી. હવે યુવા સર્જનાત્મક વિચારોને અનુસરી શકશે, હવે ફક્ત અભ્યાસ જ નહીં પરંતુ કાર્યકારી સંસ્કૃતિનો વિકાસ થયો છે.
પીએમએ કહ્યું કે આપણી સામે સવાલ છે કે શું આપણી નીતિ યુવાઓને પોતાના સપના પુરા કરવાની તક આપે છે. શું આપણી શિક્ષા વ્યવસ્થા યુવાને સક્ષમ બનાવે છે. નવી શિક્ષણ નીતિ બનાવતા સમયે આ સવાલોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. દુનિયામાં આજે નવી વ્યવસ્થા ઉભી થઈ રહી છે. ત્યારે તેમના હિસાબથી એજ્યુકેશન સિસ્ટમમાં પરિવર્તન જરુરી છે. હવે 10 પ્લસ 2 ખતમ કરી દેવામાં આવ્યું છે. આપણે વિદ્યાર્થીઓને ગ્લોબલ સિટીજન બનાવવાના છે. પરંતુ પોતાના મૂળને પણ વળગી રહેવા જોઈએ.
નવી નીતિમાં સ્કિલ પર ધ્યા કેન્દ્રિત કરાયું
21 મી સદીના ભારતમાં આપણા યુવાનોને જે કુશળતાની જરૂર છે તેના પર રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ભારતને મજબુત બનાવવા માટે, આ શિક્ષણ નીતિમાં તેને વિકાસની નવી ઉંચાઇ પર લઈ જવા માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જ્યારે ભારતનો વિદ્યાર્થી, ભલે નર્સરીમાં હોય કે કોલેજમાં, ઝડપથી બદલાતા સમય અને જરૂરિયાતો અનુસાર અભ્યાસ કરશે, ત્યારે તે રાષ્ટ્ર નિર્માણમાં રચનાત્મક ભૂમિકા ભજવી શકશે.