રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ગુરુવારની સાંજે નરેન્દ્ર મોદી સરકારમાં ભવ્ય શપથ ગ્રહણ સમારોહની તૈયારી પૂર્ણ થઇ ચૂકી છે. મોદી મંત્રીમંડળમાં કોણ-કોણ હશે તથા તેમને કયું, મંત્રાલય સોંપવામાં આવશે તેને લઇને રાજકારણના વિશ્લેષકોમાં ઉત્સુકતા બની રહી છે.
ત્યારે સમાચાર સૂત્રો અનુસાર વડાપ્રધાન મોદી આજે સાંજે ચાર વાગ્યે સંભવિત મંત્રીઓ સાથે ચાય પર ચર્ચા કરશે. અહીં પીએમ મોદી મંત્રીઓને પોતાના એજન્ડા પર વાતચીત કરી શકે છે.
નરેન્દ્ર મોદીના મંત્રીમંડળને લઇને સ્થિતિ સ્પષ્ટ બની રહી છે. આપને જણાવીએ કે જે નેતાઓ શપથ લેવાના છે એમને પીએમ મોદી તરફથી ફોન દ્વારા જણાવાઇ રહ્યું છે. તમામને સાંજે ચાર વાગ્યે પીએમ આવાસે પહોંચવા જણાવ્યું છે. આ ઉપરાંત અમિત શાહના નામ પર પણ સસ્પેન્સ ખતમ થઈ ગયું છે અને તેમનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી હવે ગુજરાતમાંથી અમિત શાહ, પુરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાનો મોદીના મંત્રીમંડળમાં સમાવશે થશે.
Sources: The Ministers who will take oath this evening will meet PM Narendra Modi at 4:30 PM today at 7, Lok Kalyan Marg. pic.twitter.com/qT66M0t0Vs