કૃષિ કાયદાના મુદ્દા પર ખેડૂતોનું આંદોલન ચાલુ છે. આ દરમિયાન પંજાબમાં શીખોની સર્વોચ્ચ સંસ્થા શિરોમણી ગરુદ્વારા વ્યવસ્થાપક કમેટી (SGPC)એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શીખ ગુરુ તેગબહાદુરના 400માં પ્રકાશ પર્વ પર ન બોલાવવાનો નિર્ણય લીધો છે. હવે આ મુદ્દા પર પંજાબમાં રાજનીતિ ગરમાઈ છે. કોંગ્રેસ તરફથી આ મુદ્દા પર વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે. પરંતુ આમ આદમી પાર્ટી શિરોમણી અકાલી દળે નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે.
પ્રધાનમંત્રીને આ કાર્યક્રમમાં ન બોલાવવાનો નિર્ણય યોગ્ય નથી
એક સ્વતંત્ર સંસ્થા છે અને પોતાના નિર્ણય લેવામાં સ્વતંત્ર
આમ આદમી પાર્ટીએ નિર્ણયને યોગ્ય ગણાવ્યો
પ્રધાનમંત્રીને આ કાર્યક્રમમાં ન બોલાવવાનો નિર્ણય યોગ્ય નથી
આ નિર્ણયને પંજાબ સરકારે અકાલીદળના દબાણમાં કરવામાં આવેલો નિર્ણય ગણાવ્યો છે. પંજાબના કેબિનેટ મંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યું કે SGPCનો જે પણ કાર્યક્રમ છે તે શેર થાય છે. ગુરુ તેગબહાદુર જી પુરા દેશના છે તેવામાં પ્રધાનમંત્રીને આ કાર્યક્રમમાં ન બોલાવવાનો નિર્ણય યોગ્ય નથી. સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યું કે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ કાર્યક્રમમાં બોલાવવા જોઈતા હતા અને તેમને શીખ ગુરુઓ દ્વારા ખેડૂતોને લઈને આપવામાં આવેલી શિક્ષા અને વાતો જણાવવી જોઈતી હતી. જેથી તેમને ખેડૂતોની વેદનાની અનુભુતિ થાય. કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે ગુરુદ્વારા વ્યવસ્થાપક કમિટી પર સંપૂર્ણ રીતે બાદલ પરિવારે કબ્જો કર્યો છે અને તેમના દબાણમાં જ આ પ્રકારનો રાજકીય નિર્ણય લેવાયો છે.
સંસ્થાએ સ્વતંત્ર રીતે લીધે લો નિર્ણય છે - અકાલી દળ
આ મુદ્દા પર અકાળી દળના નેતા અને પંજાબના પૂર્વ મંત્રી દલજીત સિંહ ચીમાએ કહ્યું કે ગુરુદ્વારા કમિટી એક સંવૈધાનિક ધાર્મિક સંસ્થા છે. એ બાદ બકાયદા ચૂંટણી થાય છે. તેવામાં તેઓ કોને બોલાવવા ઈચ્છે છે તે નિર્ણય તમામ પરિસ્થિતિને જોઈને કરવામાં આવે છે અને આ અંગે એસજીપીસીએ સમગ્ર પરિસ્થિતિને જોતા નિર્ણય લીધો છે અને તેવામાં કોઈ પ્રકારની રાજનીતિ નથીં. દલજીત સિંહ ચીમાએ કહ્યું કે કોંગ્રેસના નેતા આ મુદ્દા પર રાજનીતિ ન કરે. આ એક ધાર્મિક સંસ્થા તરફથી કરવામાં આવેલો નિર્ણય છે જે એક સ્વતંત્ર સંસ્થા છે અને પોતાના નિર્ણય લેવામાં સ્વતંત્ર છે.
આપે નિર્ણયને યોગ્ય ગણાવ્યો
અકાળી દળની જેમ આમ આદમી પાર્ટીએ પણ આ સમગ્ર મામલામાં ગુરુદ્વારા કમિટિના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. આપનું કહેવું છે કે જે રીતે ખેડૂત વિરોધી કાયદો કેન્દ્ર સરકાર તરફથી આવ્યો છે તેની સીધી અસર પંજાબના ખેડૂતો પર પડી છે. તેવામાં કેન્દ્ર સરકારની બળજબરીને જોતા ખેડૂતોના સમર્થનમાં જો ગુરુદ્વારા વ્યવસ્થાપન સમિટી પ્રધાનમંત્રીને પોતાના કાર્યક્રમમાં ન બોલવવાનો નિર્ણય કર્યો છે તો તે બિલકુલ યોગ્ય છે.
પીએમ કોઈ દળના નથી પરંતુ દેશના હોય - ભાજપ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કાર્યક્રમમમાં નિમંત્રણ ન આપવાના મુદ્દા ભાજપે કહ્યું કે પીએમ કોઈ દળના નથી પરંતુ દેશના હોય છે. જો કોંગ્રેસના નેતા આ વાત કરી રહ્યા છે તો પ્રધાનમંત્રીને એસજીપીસીના કાર્યક્રમમાં બોલાવવા જોઈતા હતા અને તેમ છતાં એસજીપીસીના પ્રધાનમંત્રીને ન બોલાવ્યા તો તેનો જવાબ મળવો જોઈએ.
કેન્દ્રના કૃષિ કાયદાથી પંજાબના ખેડૂતોને મોટું નુકશાન થયું છે
ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદાના મુદ્દા પર જારી આંદોલનની આગેવાની પંજાબના ખેડૂતો કરી રહ્યા છે. જે ગત દોઢ મહિનાથી દિલ્હીની બોર્ડર પર અડેલા છે. જેને જોતા શિરોમણી ગુરુદ્વારા વ્યવસ્થાપક કમિટીના અધ્યક્ષ બીબી જાગીર કૌરે નિવેદન આપ્યું હતું કે અમારી સંસ્થા શીખોની જોન્ટ સંસ્થા છે તેવામાં કેન્દ્રના કૃષિ કાયદાથી પંજાબના ખેડૂતોને મોટું નુકશાન થયું છે આ જ કારણ છે કે અમે પીએમ મોદીને પ્રકાશ પર્વના કાર્યક્રમમાં નથી બોલાવી શકતા.