રાષ્ટ્રપતિ ભવન દ્વારા રવિવારનાં રોજ જણાવવામાં આવ્યું કે નરેન્દ્ર મોદીને ગુરૂવારનાં રોજ પ્રધાનમંત્રી પદની શપથ અપાવવામાં આવશે. નવી સરકારમાં શામેલ કરવામાં આવનાર સંભવિત ચહેરાઓને લઇને ઓફિશીયલ રીતે કંઇ જ કહેવામાં નથી આવ્યું. પરંતુ અનેક નેતાઓનું માનવું એમ છે કે પહેલાની સરકારનાં વધારે મહત્વનાં સભ્યોને મંત્રીપરિષદમાં યથાવત રાખવામાં આવશે.
પ્રચંડ બહુમતની સાથે જીતીને સત્તામાં પરત આવેલ પ્રધાનમંત્રી મોદીની નવી કેબિનેટમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની સહયોગી પાર્ટીઓને પણ જગ્યા મળી છે. આ દળોમાં જનતા દળ (યૂનાઇટેડ), અન્નાદ્રમુકને પણ જગ્યા મળી શકે છે. સૂત્રો અનુસાર, પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં બીજેપીનાં ઉત્તમ પ્રદર્શનને કારણ આ બંને રાજ્યોનાં પાર્ટી નેતાઓને પણ મંત્રીપરિષદમાં જગ્યા મળી શકે છે. પીએમ મોદી 30મેનાં રોજ નવા કાર્યકાળને માટે શપથ લેશે. ત્યાર બાદ મંત્રીમંડળનાં ખાતા પણ સામે આવી શકે છે.
જેડીયૂનાં એક નેતાનું કહેવું એમ છે કે પાર્ટીને મંત્રીમંડળમાં ઓછામાં ઓછું એક પદ મળવાની સંભાવના છે. પાર્ટીને મંત્રીપરિષદમાં પણ એક પદ મળી શકે છે. મોદીની નવી મંત્રીપરિષદનાં સભ્યોને 30મેનાં રોજ શપથ અપાવવામાં આવશે.
રાષ્ટ્રપતિ ભવન દ્વારા રવિવારનાં રોજ જણાવવામાં આવ્યું કે નરેન્દ્ર મોદીને ગુરૂવારનાં રોજ પ્રધાનમંત્રી પદની શપથ અપાવવામાં આવશે. નવી સરકારમાં શામેલ કરવામાં આવનાર સંભવિત ચહેરાઓને લઇને ઓફિશીયલ રીતે કંઇ જ કહેવામાં નથી આવ્યું. પરંતુ અનેક નેતાઓનું માનવું એમ છે કે પહેલાની સરકારનાં વધારે મહત્વનાં સભ્યોને મંત્રીપરિષદમાં યથાવત રાખવામાં આવશે.
સમાચાર એજન્સી પીટીઆઇનાં અનુસાર એવી અટકળો વહેતી થઇ છે કે ગઇ વખતની સરકારમાં નાણાંમંત્રી રહેલ અરૂણ જેટલી સ્વાસ્થ્યને કારણથી મંત્રીપરિષદમાં શામેલ નહીં થાય. પરંતુ અરૂણ જેટલીનાં અંદાજે લોકોનું કહેવું સારવાર બાદ તેઓની તબિયત ઠીક છે. સરકારે રવિવારનાં રોજ દખલગીરી કરીને એ વાત પર જોર આપ્યું કે તેમનાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલ સમાચારો ખોટા અને વાહીયાત છે.
ભારત સરકારનાં પ્રધાન પ્રવક્તા સિતાંશુ રંજન કારે ટ્વિટ કરીને કહ્યું કે, 'કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીનાં સ્વાસ્થ્યની સ્થિતિને વિશે મીડિયાનાં એક ભાગમાં આવેલ સમાચારો ખોટા અને વાહિયાત છે. મીડિયાને સલાહ આપવામાં આવે છે કે અફવાહ ફેલાવવાથી નિષ્ઠા કરે.'
બીજેપી સાથે જોડાયેલ રાજ્યસભાનાં સભ્ય સ્વપ્ન દાસગુપ્તાએ કહ્યું કે, જેટલીએ સારવાર કરાવી લીધી છે અને હવે તેમનું સ્વાસ્થ્ય સારું થઇ રહ્યું છે. ત્યારે હજી પણ તેઓ અધિકારીઓને મળી રહ્યાં છે. જો કે તમને જણાવી દઇએ કે તેઓએ આજે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને કહી દીધું કે, 'અરૂણ જેટલી હવે નવી સરકારમાં મંત્રી નહીં બને. આ અંગે ખુદ અરૂણ જેટલીએ નરેન્દ્ર મોદીને પત્ર લખીને જાણ કરી છે. અરૂણ જેટલીએ પોતાની તબિયતનો હવાલો આપીને નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો અને પોતાને નવી સરકારમાં મંત્રી ના બનાવે તે અંગે વિચાર કરવાની પણ અપીલ કરી છે.'
નવા મંત્રીમંડળમાં રાજનાથ સિંહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, રવિશંકર પ્રસાદ, પીયૂષ ગોયલ, નરેન્દ્ર સિંહ તોમર અને પ્રકાશ જાવડેકર જેવાં જૂના ચહેરા યથાવત રહી શકે છે. આવી અટકળો પણ છે કે બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ નવી સરકારમાં મંત્રી પદ સંભાળી શકે છે. જો કે, શાહે આ મુદ્દા પર અત્યાર સુધી કોઇ પણ ટિપ્પણી નથી કરી.
સૂત્રોએ જણાવ્યું તેમ ભાજપનાં સહયોગી લોક જનશક્તિ પાર્ટી (લોજપા)નાં પ્રમુખ રામ વિલાસ પાસવાને પોતાનાં સંસદ પુત્ર ચિરાગ પાસવાનને મંત્રી બનાવવાની વકીલાત કરી છે. લોજપાએ 6 લોકસભા સીટો જીતી છે. પાસવાન પહેલાની સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યાં છે.