આજે સાંજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે. જેમાં મંત્રીમંડળને લઈને બેઠકમાં ચર્ચા હાથ ધરાઇ છે. જેમાં સરકારમાં કોને મંત્રી બનાવવા તે માટે પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચે મંથન થયું છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ સરકારના મંત્રી મંડળની શપથવિધિને લઈને દિલ્લીમાં બેઠક થઇ હતી જેમાં પીએમ નરેન્દ્ર મોદીએ મંત્રીઓને લઇને અંતિમ મહોર લગાવી છે.
પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચે સતત ત્રીજા દિવસે મંત્રીમંડળને લઇને બેઠક યોજાઈ હતી. અમિત શાહ પીએમ નરેન્દ્ર મોદીની બેઠક બાદ પોતાના નિવાસસ્થાને પહોંચ્યાં હતા. એક મળતાં અહેવાલ મુજબ અમિત શાહે પીએમ સાથેની બેઠકમાં અંતિમ મહોર લગાવેલા મંત્રીઓને પોતાના નિવાસ સ્થાને બોલાવ્યાં છે.
લોકકલ્યાણ માર્ગ પર નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચે આ બેઠક યોજાઈ હતી. મંત્રીમંડળમાં કયા નેતાને સમાવવા તેને લઈને આ મહત્વની બેઠક થઇ હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચે ત્રીજી વાર બેઠક યોજાઈ હતી. જો કે હજુ સુધી મંત્રીમંડળના નામની જાહેરાત થઇ નથી. આ બેઠક બાદ મંત્રીમંડળના નામ જાહેર થાય તેવી શક્યતા છે.
આ નવા ચહેરાઓને સ્થાન મળી શકે
અપરાજિતા સારંગી (ઓડિશા), બૃજેન્દ્રસિંહ (હરિયાણા), વિજય ચૌથાયીવાલા (મોદીની વિદેશયાત્રાઓનું મેનેજમેન્ટ સંભાળ્યું હતું), અર્જુન મુંડા (ઝારખંડ), સુનીલ સોરેન (ઝારખંડ), અર્જુનસિંહ (બંગાળ), દિલીપ ઘોષ (બંગાળ), જોન બાર્લા (બંગાળ), લોકેટ ચેટરજી (બંગાળ), શાંતનુ ઠાકુર (બંગાળ), કિશન રેડ્ડી (તેલંગાણા), અરવિંદકુમાર (તેલંગાણા), દિયા કુમારી (રાજસ્થાન), અનુરાગ ઠાકુર (હિમાચલપ્રદેશ)
બીજેપી સૂત્રોના હવાલાથી સમાચાર મળી રહ્યા છે એ મુજબ તમને નરેન્દ્ર મોદીની નવી કેબિનેટમાં ઘણા જૂના ચહેરા જોવા મળશે. જેનો અર્થ એ છે કે કે જૂના મંત્રીઓને મહત્વના ખાતા પર રિપીટ કરી શકાય છે.
નવા મંત્રીપરિષદમાં રાજનાથ સિંહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, રવિશંકર પ્રસાદ, પીયૂષ ગોયલ, નરેન્દ્ર સિંહ તોમર અને પ્રકાશ જાવડેકર જેવા જૂના ચહેરા પણ બની રહી શકે છે. નવી મોદી સરકારમાં અન્નાદ્રુમકને પણ આ વખતે માત્ર એક સીટ મળી શકે છે. તમિનનાડુમાં સત્તાહીન હોવાને કારણે તેમને એક જ મંત્રી પદ આપી શકાય છે.